________________
તેની સાથે એક ભ્રાંત ખ્યાલ જોડાયેલો છે. હું માની લઉં કે ધર્મના નામે ક્રૂરતા અને નિર્મમતાનો પ્રયોગ થયો છે, ધરતી લોહિયાળ થઈ છે તો તરત જ પ્રશ્ન ઉદ્ભવશે કે શું ધાર્મિક માણસે ધરતીને લોહિયાળ કરી કે પછી ધર્મના અનુયાયીએ? ભીડ અનુયાયીઓની છે, ધાર્મિકજનોની ક્યાંય ભીડ નથી. આપણે ધર્મના અનુયાયી અને ધાર્મિકનો તફાવત ભૂલીને પોતાની જ જાળમાં અટવાઈ જઈએ છીએ છે. ધાર્મિકની વ્યાખ્યા
મહાવીરે ધર્મના અનુયાયી અને ધાર્મિક વચ્ચે એક ભેદરેખા દોરી. જે અહિંસાનો વતી હોય તે ધાર્મિક છે. જે વ્રતી નથી તે ધર્મના અનુયાયી છે. વ્રતી માણસ પશુ ઉપર વધારે ભાર લાદતો નથી. પોતાના કર્મચારીઓ તથા આશ્રિતોની રોજીરોટીનો વિચ્છેદ કરતો નથી. તે આક્રમક નથી હોતો. આવી સ્થિતિમાં ધર્મ ઉપર ધરતીને લોહિયાળ કરવાનો આક્ષેપ મૂકી શકાય નહિ. હિંસા: કારણ અને નિવારણ
હિંસા ઘણી વખત વિવશતામાંથી ફાટે છે. જો સંપન્ન લોકો ક્રૂરતાથી મુક્ત હોય તો હિંસાનું બીજ અંકુરિત થઈ શકે નહિ. જમીનદાર લોકો ભૂમિહીનો પ્રત્યે કરૂણાશીલ નથી હોતા. મેઘાવી યુવકો રોજગારની તકોથી વંચિત છે. અદાલતો દ્વારા ન્યાયની આશા ક્ષીણ બની જાય છે. રાજનીતિજ્ઞો, પોલીસ અને અપરાધીઓનું ગઠબંધન યથાર્થ ઉપર પડદો પાથરી દે છે. આ બધું ઉર્વરા બની જાય છે હિંસાના બીજ અંકુરણ માટે. જ્યારે જ્યારે હિંસા ફાટી નીકળે છે, ત્યારે ત્યારે ઉગ્રવાદ અને આતંકવાદને ખતમ કરવાની વાત શરૂ થઈ જાય છે. અહિંસામાં વિશ્વાસ ધરાવનારા લોકો ઉગ્રવાદી અને આતંકવાદીના હૃદયપરિવર્તનની વાત વિચારવા લાગે છે. આ બંને ચિંતન સફળ થતાં નથી. ન તો દંડાત્મક (શિક્ષાત્મક) નીતિ સફળ થાય છે કે ન તો હૃદયપરિવર્તનની વાત આગળ વધે છે. હિંસા કાર્ય છે, કારણ નથી
આપણે લોકો કાર્યને દૂર કરવાની વાત વિચારીએ છીએ પરંતુ કારણ તરફ ધ્યાન આપતા નથી. હિંસા એક કાર્ય છે, તે કારણ નથી. તેનું કારણ તો સામાજિક
મહાવીરનું અહિંસા-દર્શન - 63.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org