________________
હિંસા કાર્ય છે, કારણ તથી
Jain Educationa International
ઉગ્રવાદનું મૂળ : નિર્મમતા
સમસ્યા હિંસાની છે અને સમાજ હિંસા નથી ઇચ્છતો, સમસ્યા ઉગ્રવાદનીછે અને સમાજને ઉગ્રવાદ પસંદ નથી. જે પસંદ નથી તે વધી રહ્યુંછે. પ્રશ્ન બીજો જ છે. મહાવીરે કહ્યું હતું, ‘જે સામે છે તેને જુઓ. સાથે સાથે જે સામે નથી તેને પણ જુઓ.’ ફળ સામે હોય છે, મૂળ પ્રત્યક્ષ નથી હોતું. હિંસા અને ઉગ્રવાદનું મૂળ છે ક્રૂરતા અને નિર્મમતા. સમાજનો શક્તિશાળી વર્ગ દુર્બળ વર્ગ પ્રત્યે અત્યધિક નિર્મમ છે. આ નિર્મમતા જ હિંસા અને ઉગ્રવાદનું મૂળ છે.
જટિલ છે અર્થની સમસ્યા
સમાજનો એક નાનકડો ભાગ સાધન-સંપન્ન છે. તેનો મોટો ભાગ સાધનવિહીનછે. સંપન્નતા અને વિપજ્ઞતાનું તારતમ્ય એક હદ સુધી ક્ષમ્ય પણ હોઈ શકે પરંતુ આજે તે અસીમ બની રહ્યું છે. દુર્બળ વર્ગ સમક્ષ રોજીરોટીની સમસ્યા જટિલ બનેલી છે. પેટ ભરીને ખાવાનું ન મળે એવી સ્થિતિમાં હિંસા અને ઉગ્રવાદને શું રોકી શકાય ખરાં ? શું પોલીસના ડંડામાં ભૂખની જ્વાળા
મહાવીરનું અહિંસા-દર્શન - 61
For Personal and Private Use Only
www.jainelibrary.org