________________
લૂંટફાટ, ઉપદ્રવ અને હત્યાઓની શૃંખલા સમાપ્ત થઈ જાય. સ્વસ્થ સમાજ માટે આ એક સ્વસ્થ પરિકલ્પના છે. કાર્યકારણનો સિદ્ધાંત એક વાસ્તવિકતા છે. અહિંસાના ક્ષેત્રમાં પણ તે જોવા મળે છે. માણસ હિંસા નથી ઇચ્છતો પરંતુ હિંસાનાં કારણો ઇચ્છે છે ! તે અહિંસા ઇચ્છે છે પરંતુ અહિંસાનાં કારણોને નથી ઇચ્છતો ! કારણની સમગ્રતામાં કાર્યને ન ઇચ્છવાનો અર્થ શો થાય? કારણની અસમગ્રતામાં કાર્યને ઇચ્છવાનો અર્થ શો થાય ? સમસ્યા એ છે કે માણસની ઇચ્છા અને ક્રિયા વચ્ચે સામંજસ્ય નથી. આ અસામંજસ્ય એક અજબ કોયડો બની રહ્યું છે.
અહિંસાના વિકાસનું સશક્ત સાધના
મૂળ સમસ્યા તનાવની છે. માદક વસ્તુનું સેવન તેના ઉપચાર તરીકે સ્વીકૃતિ પામ્યું છે. હિંસાની તીવ્રતા તેનું એક પરિણામ છે. આપણે હિંસાની તીવ્રતા નથી ઝંખતા. આજનો વિદ્યાર્થી અને યુવક નશાની આદતમાં પડી જાય તેવું આપણે નથી ઇચ્છતા. આપણે તનાવ પણ નથી ઇચ્છતા પરંતુ દિનચર્યા, આચાર-વિચાર અને વ્યવહાર- સમગ્ર જીવન પ્રણાલી તનાવની વૃદ્ધિ કરનારાં બની ગયાં છે. આવી ઇચ્છાનો શો અર્થ તથા તેનું પરિણામ શું? એનાથી આપણે અજાણ નથી. બધું જ જાણવા છતાં માણસ સચ્ચાઈની સાથે સંતાકૂકડી રમી રહ્યો છે. શું જીવન-પ્રણાલીને બદલી શકાય તેમ નથી? અતિવ્યસ્તતા અને એ દ્વારા ઉત્પન્ન તનાવને ઘટાડી શકાય તેમ નથી ? શું તનાવ-વિસર્જન માટે કોઈ નવો વિકલ્પ શોધી શકાય તેમ નથી ? ધ્યાન બહુ સારો વિકલ્પ છે તનાવમુક્તિનો અને બહુ સારો ઉપાય છે પદાર્થની આંધળી દોડ તથા સ્પર્ધાજનિત રઘવાટથી બચવાનો. મહાવીરની ભાષામાં અહિંસાના વિકાસનું એક સશક્ત સાધન છે – ધર્મધ્યાન. જીવનમાં તેની સંગતિ અનેક વિસંગતિઓનો યોગ્ય ઉપચાર છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 56.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org