________________
૩. સંપદા પ્રાપ્ત થતાં તેમાં આસક્ત થઈ જવું. ૪. બીજાઓની સંપદાની ઈચ્છા કરવી. ૫. વધુમાં વધુ સંપદાના અર્જન માટે ઓતપ્રોત રહેવું.
નશાની આદતનું પરિણામ
આ સ્પર્ધાનાં લક્ષણો છે અને માનસિક તનાવનાં કારણો છે. જેમ જેમ સંપદા વધે છે તેમ તેમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પ્રત્યે આસક્તિ વધી જાય છે. એક તરફ સંપદાની વૃદ્ધિ, બીજી તરફ માનસિક તનાવોની વૃદ્ધિ. જેમ જેમ તનાવ વધતો જાય છે તેમ તેમ માદક વસ્તુઓ તરફ ખેંચાણ વધે છે. નશાની આદત માત્ર અમીર લોકોમાં જ નથી હોતી, ગરીબ લોકોમાં પણ હોય છે. તેનું કારણ અમીરી અને ગરીબી નથી પરંતુ તનાવ છે. ગરીબ માણસમાં અભાવને કારણે તનાવ પેદા થાય છે. અમીર માણસમાં સંપદાના અતિરેકને કારણે તનાવ પેદા થાય છે. તનાવથી ઘેરાયેલો માણસ શાંતિ અને સુખનું જીવન જીવી શકતો નથી. તેથી તે માદક વસ્તુઓના શરણે જાય છે. સાચી વાત એ છે કે માણસ બાહ્ય ઘટનાઓ, ઘટનાઓના સંઘર્ષોથી ઉત્પન્ન ચિંતાઓથી મુક્ત રહીને જીવવા ઇચ્છે છે. માદક વસ્તુઓના સેવનથી થોડાક સમય માટે સઘળું વિસ્તૃત થઈ જાય છે. વિસ્મૃતિની ક્ષણોમાં એક સુખદ અનુભૂતિ થાય છે. તે અનુભૂતિ એ માદક દ્રવ્યોના સેવનની પ્રેરણા બની જાય છે. તેનું પરિણામ સુખદ નથી. તમાકુ કેટલી ખતરનાક છે એ વાત વૈજ્ઞાનિકોની ઘોષણાઓ દ્વારા પ્રગટ થઈ રહી છે. શરાબ માત્ર શરીર માટે જ નહિ, વૃત્તિઓને બદલવા માટે પણ ખૂબ જવાબદાર છે. શરાબ નહિ પીનાર માણસ એટલો ક્રૂર નથી બની શકતો જેટલો શરાબ પીનાર માણસ બની જાય છે. અપરાધી મનોવૃત્તિનું નિર્માણ કરવામાં પણ શરાબનો બહુ મોટો સહયોગ છે. અસામંજસ્ય ઇચ્છા અને ક્રિયામાં
ખાણી-પીણી તથા આચાર-વિચારને અત્યંત ગાઢ સંબંધ છે. આ સત્ય ખૂબ પ્રાચીનકાળથી પ્રચલિત છે. અહિંસાના વિકાસની પ્રથમ શરત છે આહારશુદ્ધિ, માદક વસ્તુઓનું વર્જન. આજનો સમજુ માણસ હિંસાની ઘટનાઓથી ખૂબ ચિંતિત છે. તે ઇચ્છે છે કે સમાજમાં સુખ શાંતિ રહે, મારામારી,
મહાવીરનું અહિંસા-દર્શન - 55.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org