________________
ન હોય એવી દવા લેવામાં તમને શો વાંધો છે ? તે એકદમ બોલી ઊઠ્યાં, માંસ વગેરેની ભેળસેળ ભલે ન હોય, પરંતુ તે ઔષધિઓની શોધ માટે અસંખ્ય નિરીહ પ્રાણીઓની હત્યા થાય છે તેથી તે શુદ્ધ કઈ રીતે ગણાય ?
કરુણા માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે ! આ હતી મારી માનસિક પ્રતિક્રિયા. ક્રૂરતા માનવીને ક્યાંથી ક્યાં લઈ જાય છે, એનું સામ્ય છે પ્રાણી જગતને ક્રૂર યાતના આપીને બનાવેલી પ્રસાધન સામગ્રી, સૌંદર્ય અને સજાવટની સામગ્રી. કસ્તૂરીમૃગ, હાથી, ગેંડો વગેરે કેટકેટલાં પશુ-પક્ષીઓને મારવામાં આવેછે ! શોધ-સંશોધન માટે મારવામાં આવતા દેડકા તથા વાંદરાઓની સંખ્યા તો અગણિત છે.
વિકસિત થવું એટલે
માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. આ કલ્પનાએ હિંસાને ઉઠૂંખલ બનાવી દીધી છે. ‘ન માનુષાત્ શ્રેષ્ઠત હિ કિંચિત્' તેનો આશય એ જ હોઈ શકે કે તેને જેવું શરીર, માનસિક બૌદ્ધિક વિકાસ મળ્યો છે એવું અન્ય કોઈ પ્રાણીને મળ્યું નથી. એનો ફલિતાર્થ એવો ન થઈ શકે કે તે શ્રેષ્ઠ છે. તેથી તેના માટે જે કંઈ કરવામાં આવે તે ક્ષમ્ય છે, યોગ્ય છે. આજના વૈજ્ઞાનિક વિશ્વનો અભ્યુપગમ એવો બનેલો છે કે માણસને બચાવવા માટે કાંઈ પણ કરી શકાય. કાંઈ પણ કરવામાં ઔચિત્યનું કોઈ અતિક્રમણ નથી.
શું આ જગતમાં માત્ર માણસનું જ અસ્તિત્વછે ? શું એકલો માણસ જ જીવી શકે છે ? વિકસિત થવાનો અર્થ અવિકસિતનું શોષણ અને ઉત્પીડન નથી. તેનો અર્થ છે ઇચ્છા અને અપેક્ષાઓનો સંયમ.
હિંસાના બે સ્તર
ભગવાન મહાવીરે કહ્યું કે અવિસકિત પ્રાણી વિવેક કરી શકતું નથી. માણસ વિકસિત છે, તેથી તેનામાં વિવેક કરવાની ક્ષમતા છે. તે હિંસાને જીવનની નિયતિ માનવાછતાં તેનાથી બચી શકેછે. મહાવીરે હિંસાની સમસ્યાને બે સ્તરથી જોઈ. હિંસાનું એક સ્તછે અર્થહિંસા અને તેનું બીજું સ્તરછે અનર્થ હિંસા – ‘અટ્ઠા દંડે અણટ્ઠા દંડે’. હિંસા અનુપાદેયછે, તેનેછોડો. તેનેછોડીને જીવી શકાતું નથી તેવા ચિંતનથી મન આંદોલિત થઈ ઊઠ્યું. જિંજ્ઞાસા રજૂ થઈ, ભંતે ! હિંસાછોડીને હું જીવી ન શકું. આચાર્ય બોલ્યા, તમારા મનમાં જીવવાની આકાંક્ષા છે. શું હિંસાની પણ આકાંક્ષા છે?
મહાવીરનું અહિંસા-દર્શન • 52
Jain Educationa International
For Personal and Private Use Only.
www.jainelibrary.org