________________
ના, બિલકુલ નહિ.
તો માત્ર આટલું જ કરો - જીવવા માટે જે જરૂરી ન હોય તેવી હિંસા છોડી દો.
આંખ ક્યારે ખૂલશે ?
હિંસાછોડવાનો પ્રારંભ અનાવશ્યક હિંસાથી કરો. એ પણ આવશ્યક નથી. આ પણ આવશ્યક નથી. જે-જે આવશ્યક ન હોય તેને છોડતા જાવ. આ ‘નૈતિ નેતિ’ પછી જે બચશે, તે જીવનનો યથાર્થ હશે, અર્થહિંસા હશે. જે સમસ્યા છે તે અર્થહિંસાની નથી. સઘળી મૂંઝવણ અનર્થ હિંસાને કારણે વધી રહીછે. પ્રશ્ન એછે કે શું આજનો માણસ અર્થહિંસા અને અનર્થહિંસાનો વિવેક કરી રહ્યોછે ખરો? શું આજના સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ અર્થહિંસાની કોઈ યાદી તૈયા૨ કરવામાં રસ ધરાવે છે ખરા ? શું કોઈ ધર્મગુરુએ એવી કોઈ યાદી બનાવી છે ખરી ? સંતુલિત ભોજનની યાદી ઉપલબ્ધછે. તેને શારીરિક પોષણ માટે આવશ્યક માનવામાં આવેછે. મનસ્પોષણને કદાચ એટલું આવશ્યક માનવામાં આવ્યું નથી તેથી અહિંસા અને અનર્થહિંસા વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવામાં આવી નથી. વધારે સુવિધાઓ આપવી અને વધારે પદાર્થો બજારમાં ઉપલબ્ધ કરાવવા એ વ્યાવસાયિક દૃષ્ટિએ યોગ્ય માની શકાય. જો માનવીય ચેતનાને વ્યવસાયની ભૂમિકામાં બેસાડવામાં આવશે તો તેનું પણ વ્યાવસાયીકરણ થયા વગર નહિ રહે. આજના કિશોરો તથા યુવકોને ઈન્દ્રિયોનાં આકર્ષણો ઘટાડવાની વાત સમજાવવાનું સરળ નથી. તે આકર્ષણો સાથે એટલાં બધાં વહી ચૂક્યાંછે કે પ્રવાહને વાળવાનું સૂત્ર શોધવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે. હિંસાની વૃદ્ધિ જ તેની ભયંકરતાનો અહેસાસ કરાવશે. ત્યારે આંખ ખૂલશે અને વિવશ માનવી ફરીથી સચ્ચાઈ તરફ પાછા વળવાની વાત વિચારશે.
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 53
For Personal and Private Use Only
www.jainelibrary.org