SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ શું જીવવા માટે આટલી બધી હિંસા આવશ્યક છે ? હિંસા જીવનની નિયતિ છે. શરીર અને હિંસા એ બંને વચ્ચે કોઈ ભેદરેખા ખેંચી શકાય ખરી ? આ એક પ્રશ્નછે. એવો પ્રશ્ન કે જેની ઉપેક્ષા કરી શકાય તેમ નથી. શરીર માટે શું ન જોઈએ ? ભોજન, જળ અને મકાનથી માંડીને સેન્ટ-શેમ્પૂ વગેરેને શરીર માટે જરૂરી માની લીધાં છે. આવશ્યકતાઓની સૂચિ ખૂબ લાંબી છે. વૈજ્ઞાનિક યુગના વિકાસ તેમજ વ્યાવસાયિક બુદ્ધિએ આવશ્યકતાઓનો અકલ્પિત વિસ્તાર કરી મૂક્યો છે. આવશ્યકતાઓ વધે અને હિંસા ન વધે એવું શી રીતે શક્ય છે ? તો પછી અહિંસાની આકાંક્ષા શા માટે ? તેની ચર્ચા શા માટે ? શું તેની કોઈ અપેક્ષાછે? માનવીનું જે આકર્ષણ છે તે હિંસા દ્વારા પૂર્ણ થઈ રહ્યું છે. તો પછી અહિંસા તેને શું આપશે ? હિંસા મુલાયમ જૂત્તાં આપી શકે છે. અહિંસા નથી આપી શકતી. ઘણી બધી પ્રસાધન સામગ્રી હિંસા આપી શકેછે, અહિંસા નથી આપી શકતી. મેં ઇરેના (કેનેડાની એક મહિલા)ને પૂછ્યું કે તમે એલોપથી દવા કેમ નથી લેતાં ? તેમણે કહ્યું કે બાવીસ વર્ષથી મારી આસ્થા જૈન ધર્મમાંછે. હું અહિંસામાં વિશ્વાસ ધરાવું છું. તે મારા માટે જીવનધર્મ છે. પછી હું એલોપથી દવા કઈ રીતે લઈ શકું ? મેં ફરીથી પૂછ્યું કે જેમાં માંસ, ઈંડાં, શરાબ વગેરેની ભેળસેળ મહાવીરનું અહિંસા-દર્શન • 51 Jain Educationa International For Personal and Private Use Only. www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy