SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા છે ચિત્તની પવિત્રતા ભગવાન મહાવીરે ઉક્ત સમસ્યાને અહિંસાની દૃષ્ટિએ ઉકેલી. તેમનો દૃષ્ટિકોણ છે – આત્મહત્યા અને પરહત્યા – બંને હિંસાત્મક પ્રયત્નો છે. અહિંસા પોતાના ચિત્તની પવિત્રતામાંથી આવે છે. રાગ-દ્વેષ અને મોહનો આવેશ ન હોય એ છે પવિત્રતા. પ્રાણનો મોહ પણ એક આવેશછે. ભલે પછી તે પોતાના પ્રાણનો મોહ હોય કે પછી કોઈ બીજાના પ્રાણનો મોહ હોય. કષ્ટ ન થાય તે રાગાત્મક આવેલ છે. હું કષ્ટ ન પામું એ પણ રાગાત્મક આવેશ છે. બીજું કોઈ કષ્ટ ન પામે એ પણ રાગાત્મક આવેશ છે. અનાવેશનો સંકલ્પ એ છે કે આપણે એવું આચરણ કરીએ કે જેથી સ્વયંને પણ કષ્ટ ન થાય અને બીજાઓને પણ કષ્ટ ન થાય. કોઈને કષ્ટ ન થાય અને જો કષ્ટ આવે તો તેને સહન કરવાની ક્ષમતા હોય. ભાવુકતાનો આવેશ કષ્ટ આવે ત્યારે તેનો ઉપચાર કરવો તે એક સામાજિક મનોવૃત્તિ છે. પરસ્પરતા, સહયોગ અને સહાનુભૂતિ છે. તેની પોતાની સીમા હોય છે. કષ્ટથી તડપતા પ્રાણીને મારી નાખવું તે સીમાથી પરની વારછે. જો કોઈ એવું કરી નાખે તો તેને ભાવુકતાનો આવેશ જ કહી શકાય. એને માન્યતા ન આપી શકાય. અહિંસા અને કરુણાના નામે તેને શી રીતે માન્ય કરી શકાય? અહિંસાનો અનુબંધ કષ્ટસહિષ્ણુતા સાથે છે, કષ્ટથી ગભરાઈને યેન-કેન પ્રકારેણ મૃત્યુ પામવા સાથે નથી. કષ્ટની સ્થિતિમાં શરીરને ત્યાગવાની વાત આવી શકે છે, પરંતુ તેનું સાધન શુદ્ધ હોવું જોઈએ, ઉપવાસ અથવા અલ્પાહાર હોવું જોઈએ. આ સાધનામાં મુખ્ય વાત આત્મશુદ્ધિ બની જાય છે, મૃત્યુ પ્રાસંગિક બની રહે છે. જે પ્રયત્નમાં કષ્ટને ન સહન કરી શકવું અને મૃત્યુ મુખ્ય હોય તે આવેશપૂર્ણ પ્રયત્ન છે. જે પ્રયત્નમાં આત્મશુદ્ધિ મુખ્ય હોય, મૃત્યુપ્રાસંગિક હોય, તે અનાવેશપૂર્ણ પ્રયત્ન છે. અહિંસાની સીમામાં આ બીજો પ્રયત્ન જ માન્ય થઈ શકે તેમ છે. મહાવીરનું અહિંસા-દર્શન : 50 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy