________________
અનુસરણ આજે પણ થઈ રહ્યું છે
વ્યક્તિ મૃત્યુ પામવા માટે સ્વતંત્ર છે. પરંતુ શું તે બીજાઓને મારવા માટે પણ સ્વતંત્ર છે ખરી? આ પ્રશ્ન અંગે અનેક પ્રકારનાં ચિતન છે. એક પ્રાચીન ચિંતનપ્રવાહ હતો, તેનું નામ હતું દુઃખ-મોચન સંપ્રદાય. તેનો સિદ્ધાંત એવો હતો કે કોઈ પ્રાણી દુઃખથી તડપતું હોય અને તેના બચવાની કે સાજા થવાની કોઈ સંભાવના ન હોય એવી સ્થિતિમાં તેનું પ્રાણવિયોજન કરી શકાય છે. આ ચિંતનપ્રવાહનું અનુસરણ વીસમી સદીમાં પણ થઈ ચૂક્યું છે. વર્તમાનમાં પણ આ વિચારધારાના સમર્થકો જોવા મળે છે. આવા ચિંતન પાછળ દયાનો ભાવ સક્રિય છે. નિર્ણાયક કોણ?
માત્ર ભાવુકતા શુભ અને અશુભની કસોટી નથી બનતી. એ માટે યથાર્થની અપેક્ષા હોય છે. કોઈ બીજાના કષ્ટને જોઈને પીગળી જવું, કરુણાÁ થઈ ઊઠવું, તે એક વાત છે અને કર્તવ્ય કે ધર્મનું નિર્ધારણ કરવું તે અલગ વાત છે. ઘણી વખત એવું બને છે કે તીવ્ર કષ્ટથી પીડાતું પ્રાણી પણ મૃત્યુ નથી ઇચ્છતું. તે જીવવાનું ઝંખે છે અને એવી કલ્પનામાં રાચે છે કે એક દિવસ એનું કષ્ટટળી જશે. જે પ્રાણી મૃત્યુ ન ઇચ્છે તેને પોતાની ભાવુકતાના આધારે મારી નાખવાનું કઈ રીતે યોગ્ય ગણાય? કષ્ટથી તડપતું પ્રાણી તેનાથી મુક્ત નહિ જ થાય એનો નિર્ણય કઈ રીતે કરી શકાય? મોતના મુખમાં જઈને પણ કેટલાંક પ્રાણીઓ ફરીથી જીવી જાય છે અને લાંબા સમય સુધી જીવતાં પણ રહે છે. જવાબદારીને અસીમ ન બનાવીએ
કષ્ટ અને મૃત્યુને એક જ દોરામાં પરોવી ન શકાય. કેટલાક માણસો કષ્ટપીડિત થઈને મરવાની આકાંક્ષા કરી શકે છે. તેમને એવી ઈચ્છા થઈ શકે છે કે એક ઈજેક્શન સાથે જ પોતાની જીવનલીલા સમાપ્ત થઈ જાય. આવી ઇચ્છા એક ભાવાવેશ છે, જે કષ્ટસહિષ્ણુતાના અભાવે પેદા થાય છે. આવી સ્થિતિમાં કષ્ટસહિષ્ણુતા વધે, એમ શીખવવું ઉચિત ગણાય કે પછી તેને મારી નાખવાનું ઉચિત ગણાય? બીજાઓ પ્રત્યે આપણી જવાબદારીની એક મર્યાદા છે. આપણે જવાબદારીને અસીમ ન બનાવીએ. કોઈકને મારી નાખવું એ આપણી જવાબદારીને અસીમ બનાવવાનો પ્રયત્ન છે. પ્રકૃતિની પોતાની વ્યવસ્થા છે. કષ્ટ સહનશક્તિથી પર હોય છે, ત્યારે વ્યક્તિ મૂચ્છિત બની જાય છે.'
મહાવીરનું અહિંસા-દર્શન 49
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org