________________
તેને જુઓ, જે જીવન અને મૃત્યુની પૂષ્ઠભૂમિમાં
છુપાયેલું છે
પ્રત્યેક વ્યક્તિને જેવી રીતે જીવવાનો અધિકાર છે તેવી જ રીતે મરવાનો અધિકાર છે. આ બંને અધિકારો સાથે કેટલીક શરતો જોડાયેલી છે. કાયદાની દૃષ્ટિએ જીવવાનો અધિકાર સૌને છે, પરંતુ મરવાનો અધિકાર સૌને નથી. મરવાનો પ્રયત્ન આત્મહત્યાનો પ્રયત્ન છે અને આત્મહત્યા એક અપરાધ છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને સજા થાય છે. મહાવીરે મુનિને મરવાનો અધિકાર પણ આપ્યો છે. તેમના નિર્દેશ મુજબછે કારણોથી ભોજન કરી શકાય છે. તેમાં પ્રથમછે વેદનાનું ઉપશમન. બીજુંછે સેવા, ત્રીજું છે આંખોની જોવાની શક્તિ, ચોથું છે
સંયમ, પાંચમું છે પ્રાણધારા અને છઠું છે ધર્મચિંતા. છે કારણોથી ભોજન કરી શકાતું નથી.
૧. આતંક ૨. ઉપસર્ગ ૩. બ્રહ્મચર્યની તિતિક્ષા ૪. પ્રાણીદયા ૫. તપની આરાધના ૬, શરીર-ત્યાગ.
મુનિ અનુભવ કરે કે આ શરીરની હવે કોઈ સાર્થકતા નથી, એ દ્વારા કોઈ નવી ઉપલબ્ધિ નથી થતી, હવે તે સાધન રહ્યું નથી. આવી સ્થિતિમાં તે આહારત્યાગ કરીને શરીરનો ત્યાગ કરી શકે છે. શાંત અને સંતુલિત રીતે મૃત્યુ પામવાનો અધિકાર જેવી રીતે એક મુનિને છે, તેવી જ રીતે એક ગૃહસ્થને પણ હોઈ શકે છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 48
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org