________________
અસીમ થઈ જાય, સ્વાર્થ પણ અસીમ થઈ જાય તે યોગ્ય નથી. સમાજને માત્ર ચિંતનની ભૂમિકાએ ઝાઝો બદલાયેલો આપણે નહિ જોઈ શકીએ.
અહિંસાનું સંબંધસૂત્રા
અહિંસાનો સંબંધ વિચારની અપેક્ષાએ નિર્વિચારની ભૂમિકા સાથે વિશેષ છે. નિર્વિકલ્પ અથવા નિર્વિચાર અવસ્થામાં અહિંસાનો સ્રોત વધુ પ્રફુટિત થઈ શકે છે. એક વિચારશીલ વ્યક્તિ પોતાની સ્વાર્થસાધનામાં જેટલી સક્રિય હોય છે, એટલી નિર્વિચાર વ્યક્તિ નથી હોતી. નિર્વિચારની બે કક્ષાઓ હોય છે. પ્રથમ કોટિમાં નિર્વિચાર એટલે વિચારનો વિકાસ ન થવો. બીજી કોટિમાં નિર્વિચાર એટલે મનનો વિલય. આ અવસ્થામાં આંતરિક ચેતના જાગૃત થાય છે અને હિંસાને જીવન આપનારાં તત્ત્વો વિઘટીત થાય છે. માત્ર બાહ્યચેતના અને પદાર્થસંબદ્ધ ચેતનાના આધારે અહિંસાના વિકાસની સંભાવના કલ્પી શકાતી નથી.
જરૂરી છે નવું પ્રસ્થાન
અહિંસા અંગે ખૂબ વિચાર થઈ રહ્યો છે. વિશ્વનો ઘણો મોટો ભાગ તેનો વિકાસ ઇચ્છે છે. શાંતિનો એક માત્ર એ જ વિકલ્પ છે. માત્ર આટલાથી સમસ્યા ઉકલતી નથી. સમસ્યાને ઉકેલવાનું પ્રથમ પગલું વિચાર અને બીજું પગલું પ્રયોગ છે. પ્રયોગના સ્તરે ખૂબ ઓછું ધ્યાન અપાઈ રહ્યું છે. પરિવર્તન માટે પ્રયોગ, વિચાર કરતાં વધુ શક્તિશાળી હોય છે. ઘણા બધા ચિંતકો ચિંતનથી પર જવાની કલ્પના જ કરતા નથી. અહિંસાના વિકાસનો એ બહુ મોટો અવરોધ છે. હિંસાનાં આંતરિક નિમિત્તોની જાણકારી ન હોય, તેમને નાબૂદ કરવાની પ્રયોગ-પદ્ધતિનું જ્ઞાન ન હોય એવી સ્થિતિમાં હિંસાથી અહિંસા તરફ પ્રસ્થાન કઈ રીતે શક્ય બને? અહિંસાના વિકાસ માટે એક નવું પ્રસ્થાન જરૂરી છે.
મહાવીરનું અહિંસા-દર્શન • 47
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org