________________
ચિત્ર કંઈક જુદા જ પ્રકારનું ઉપ. પહેલી કસોટીમાં એક સમર્થ માણસ દ્વારા અસમર્થ માણસનું શોષણ અને ઉત્પીડન અવાંછનીય નહોતું. બીજી કસોટીમાં શોષણ અને ઉત્પીડન સર્વથા અમાન્ય અને સર્વથા અવાંછનીય હતું. અહિંસાનો વિચાર પ્રભાવક બનતો ગયો અને દાસપ્રથા સમાપ્ત થઈ ગઈ. આજે માણસના માથા ઉપર દાસપ્રથાનું કલંક લાગેલું નથી. દાસપ્રથાની નવી આવૃત્તિ: બંધાયેલા મજૂર
માનવીના મનમાં ક્રૂરતાનાં બીજ આજે પણ જોવા મળે છે. ધનનો લોભ આજે પણ એવો જ છે. સત્તા અને શક્તિના દુરુપયોગની વાત આજે પણ સમાપ્ત થઈ નથી. તેથી અવારનવાર દાસપ્રથાની નવી નવી આવૃત્તિઓ થતી રહે છે. બંધાયેલા મજૂર મૃતપ્રાય દાસપ્રથાની એક નવી આવૃત્તિ છે. આ પ્રથામાં માણસ ખરીદાયેલો નથી હોતો, પરંતુ તેને બંધક બનાવી લેવામાં આવે છે. ઋણની ચુકવણી ન થાય ત્યાં સુધી તેને મુક્તિ મળતી નથી. માલિકો તેની વિવશતાનો લાભ લેતા રહે છે અને બિચારા બંધાયેલા મજૂરોને જીવન તથા મરણના સંધિસેતુ ઉપર પગ મૂકીને ચાલવું પડે છે. ભારતમાં એવા લોકોની સંખ્યા વીસેક લાખ જેટલી મનાય છે. આશ્ચર્યની વાત છે કે સમાજવાદી સમાજરચનાનું સ્વપ્ર જોનારા લોકતંત્રમાં આવું બધું ચાલી રહ્યું છે ! રાજતંત્ર અને જાગીરદારીને સમાપ્ત કરી દેવા છતાં આ પ્રથાને જીવતી રાખવાનો હેતુ શોછે? એ વાત સમજાતી નથી. અહિંસાની દૃષ્ટિએ તે અવાંછનીય છે. એટલું જ નહિ, સામાજિક દષ્ટિએ પણ તે સર્વથા અવાંછનીય છે. જ્યાં સુધી શક્તિશાળી લોકોને પોતાની શક્તિનો નિરંકુશ પ્રયોગ કરવાની છૂટ મળતી રહેશે ત્યાં સુધી દાસપ્રથાની નવી આવૃત્તિઓ થતી જ રહેશે.
સમાજને માત્ર ચિંતનના સ્તરે જ ન બદલીએ
બૌદ્ધિક દષ્ટિએ માનવી ખૂબ વિકસિત થયો છે. ચિંતન પણ ખૂબ વધ્યું છે પરંતુ ભાવનાના સ્તરે તેણે ખૂબ વિકાસ કર્યો છે એમ કહેતાં પહેલાં વિચાર કરવો પડે તેમ છે. એક ચિંતનશીલ પ્રાણી ભાવનાના સ્તરે નિમ્નજીવન જીવે છે ત્યારે એવી પ્રતીતિ થાય છે કે વૈજ્ઞાનિક યુગનો માણસ હજી પણ મનના ખેલ ખેલી રહ્યો છે, એથી આગળ વધી શક્યો નથી. પોતાનાં સ્વાર્થ અને સુવિધા પ્રત્યે આકર્ષણ થાય છે, આ વૈયક્તિકતાનો અસ્વીકાર થઈ શકે તેમ નથી પરંતુ વૈયક્તિકતા
મહાવીરનું અહિંસા-દર્શન 46.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org