________________
દાસપ્રથાતી નવી આવૃત્તિ
એક સમય એવો હતો કે જ્યારે માણસ પણ પશુની જેમ વેચાતો હતો. વેચાયેલો માણસ દાસ કહેવાતો. પરંતુ પશુની જેમ જ તે પરતંત્રતાનું જીવન જીવતો હતો. તેનું પોતાનું ન કોઈ વ્યક્તિત્વ કે ન કોઈ સ્વતંત્રતા. એક માણસ બીજા માણસને દાસ બનાવી શકે છે એ વાત સમજણથી પર છે. પરંતુ માનવજાતિનો સમગ્ર ઇતિહાસ સમજણનો ઇતિહાસ નથી. એમાં મૂર્ખતા અને મૂઢતાનાં કાર્યોની એક લાંબી સૂચિછે.
એ સમયે સામાજિક ચેતના રાજતંત્રની કઠોર દંડનીતિથી જ ચાલતી હતી. ગણતંત્રનાં રાજ્યો પણ સામાન્ય પ્રજાનાં હિતોની અને તેમના જીવનની ખાસ ચિંતા કરતાં નહોતાં. દંડશક્તિ અને હિંસાની શક્તિના આધારે ચાલનારા લોકો માનવીય એકતા અને સમતાની વાત કદાચ વિચારી પણ શકતા નહોતા. એક નવો સ્વર જાગ્યો. જ્યારે ભગવાન મહાવીરે કહ્યું કે કોઈને તમારો દાસ ન બનાવશો – ણો પરિઘેતવ્યા.
આજે દાસપ્રથાનું કલંક નથી
દંડનીતિની કસોટી દ્વારા પરખનારા લોકોની દૃષ્ટિમાં માણસનું ચિત્ર કંઈક બીજા જ પ્રકારનું હતું. અહિંસાની દૃષ્ટિએ પરખનારા લોકો સમક્ષ માનવીનું મહાવીરનું અહિંસા-દર્શન ♦ 45
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org