SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ તથા અનાવશ્યક હિંસાથી બચવું. પ્રત્યેક કાર્યને ધર્માનુમોદિત માનવું એનો અર્થ એ છે કે પોતાના અનૈતિક અને હિંસાયુક્ત આચરણને પણ સમ્યફ માનવું અને તેને ધર્મની છત્રછાયા હેઠળ રક્ષણ આપવું. બંને ખ્યાલો વચ્ચેનો આ તફાવત જેટલો સ્પષ્ટ બને છે એટલી જ અહિંસાની સંભાવના વધે છે. હિંસાનાં બીજ અવાંછનીય છે હિંસાની ઘટનાઓ વધી જાય છે અથવા તો ઉગ્ર થઈ જાય છે ત્યારે સમાજનું ધ્યાન હિંસાની અવાંછનીયતા તરફ ખેંચાય છે. તેના બીજ તરફ ધ્યાન ખૂબ ઓછું જાય છે. એનો ફલિત એ જ હોઈ શકે કે હિંસા પ્રત્યે સમાજની ચિંતા માત્ર ભાવનાના સ્તર ઉપર જ છે, યથાર્થના સ્તર ઉપર નથી. સમાજનો એક મોટો ભાગ એવો પણ છે કે જે હિંસાને સ્વાભાવિક સમજે છે. યથાર્થના સ્તરે હિંસાની સમસ્યા ઉપર એ જ લોકો વિચાર કરે છે કે જેમની ભાવનાઓનું ઉદાત્તીકરણ થયું હોય છે, શુદ્ધીકરણ થયું હોય છે અને સત્ય સાથે જેમનું તાદાભ્યસ્થપાયું હોય છે. જેમની ભાવનાઓ આવેશમૂલક હોય તેમના માટે હિંસા કોઈ વિશેષ સમસ્યા નથી. જ્યારે કોઈ મોટી હિંસાત્મક ઘટના ઘટે છે ત્યારે તેમાં એક પ્રકંપન પેદા થાય છે અને તેઓ હિંસાને સમાજ માટે દુઃખદ માનવા લાગે છે. બે વિશ્વયુદ્ધોથી પ્રભાવિત અને પ્રતાડિત પ્રજામાં હિંસા પ્રત્યે જે વિમનસ્કતા પેદા થઈ છે, તે તેનાથી અપ્રભાવિત લોકોમાં નથી. એ જ રીતે જે લોકોએ સાંપ્રદાયિક કટ્ટરતાનાં કટુ પરિણામો ભોગવ્યાં છે, તેમનામાં સાંપ્રદાયિક હિંસા પ્રત્યે આક્રોશ જાગ્યો છે. તેઓ બીજા પ્રકારના લોકો નથી. શું એ શક્ય બની શકે ખરું કે હિંસક ઘટનાઓના સંદર્ભમાં હિંસાની અવાંછનીયતા અંગે આપણે ન વિચારીએ? આપણે વિચારીએ કે હિંસાનાં બીજ અવાંછનીય છે. તેમનું ઉન્મેલન આવશ્યક છે નહિતર તે ગમે ત્યારે હિંસક ઘટનાને જન્મ આપી શકે છે. મહાવીરનું અહિંસા-દર્શન - 44. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy