________________
જેવું કાંઈ છે જ નહીં. અંધકારે ફરિયાદ કરી કે સૂરજ મારો પીછો કરે છે. હું જ્યાં જાઉં છું ત્યાં તે પહોંચી જાય છે અને મને ભગાડી મૂકે છે. સૌ કોઈને જીવવાનો અધિકાર છે. હે ભગવાન! આપના રાજ્યમાં મારી સાથે આવો વ્યવહાર શા માટે થાય છે? ભગવાને સૂરજને બોલાવ્યો અને અંધકારની ફરિયાદ અંગે પૂછતાછ કરી. સૂરજે કહ્યું, હું તો જાણતો જ નથી કે અંધકાર શું છે અને તે ક્યાં છે? મેં આજ સુધી તેનો ચહેરો પણ નથી જોયો કે તે કેવો છે, તો પછી તેનો પીછો કરવાની અને તેને ભગાડી મૂકવાની તો વાત જ ક્યાંથી હોય?
ધર્મ અંગે પણ આવું જ કહી શકાય કે તેણે યુદ્ધનો ચહેરો પણ જોયો નથી. લડાઈ, સંઘર્ષ અને યુદ્ધ શું છે તે અંગે તે કશું જાણતો પણ નથી. તેનું એકછત્ર સામ્રાજ્ય છે- મૈત્રી, ક્ષમા અને ભાઈચારો. ધર્મ આંતરિક તત્ત્વ છે. સંપ્રદાય સંગઠન છે. સંગઠન બાહ્ય હોય છે. જે બાહ્ય હોય તેની સાથે સંઘર્ષ અને યુદ્ધ જોડાઈ શકે છે. મહાવીરે કહ્યું હતું કે એક વ્યક્તિ ધર્મ છોડી દે છે પરંતુ સંપ્રદાય નથી છોડતી અને બીજી વ્યક્તિ સંપ્રદાયને છોડી દે છે, પરંતુ ધર્મને નથી છોડતી. તેની સમક્ષ બંને ચિત્રો અત્યંત સ્પષ્ટ હતાં. ધર્મને છોડનાર વ્યક્તિ ધરતીને લોહિયાળ કરી શકે છે. સંપ્રદાયને છોડનાર વ્યક્તિ એવું નહિ કરી શકે. ધર્મ નહિ જ્યાં માત્ર સંપ્રદાય હશે ત્યાં બધું જ બની શકે છે. અહિંસા માટે બે વિકલ્પો છે - માત્ર ધર્મ અથવા તો ધર્મ થકી અનુપ્રાણિત સંપ્રદાય.
ભાંત દૃષ્ટિકોણ
કેટલાક ધાર્મિક લોકો ધર્મ, સંપ્રદાય અને જાતિ એ ત્રણેયને એક જ દોરામાં પરોવતા હોય છે. તેમના માટે ધર્મ અને સંપ્રદાયને અલગ પાડવાનું શક્ય નથી અને તેથી પ્રલોભન, બળપ્રયોગ તથા યુદ્ધનું વર્જન પણ તેમના માટે શક્ય નથી. જીવનના પ્રત્યેક કાર્ય ઉપર ધર્મની છાપ હોય, ધર્મનો પ્રભાવ હોય તે ઇચ્છનીય છે. પરંતુ પ્રત્યેક કાર્ય ધર્મની પ્રેરણાથી પ્રેરિત અથવા ધર્માનુમોદિત હોય એવી વિચારણા ઇચ્છનીય નથી. ધાર્મિક ખ્યાલોના ક્ષેત્રમાં કંઈક એવી ભેળસેળ થઈ ગઈ છે કે પ્રત્યેક વ્યક્તિ પોતાના દરેક કાર્યને ધર્માનુમોદિત સમજીને પોતાના મનને લલચાવવાનું પસંદ કરે છે. તે અધર્મનું કોઈ કાર્ય કરતો જ નથી. જે કાંઈ કરે છે તે ધર્મનું જ કાર્ય કરે છે. આ ભ્રાંતિપૂર્ણ દૃષ્ટિકોણે હિંસાને પ્રોત્સાહન આપ્યું. પ્રત્યેક કાર્યમાં ધર્મનો પ્રભાવ હોય એનો અર્થ એ છે કે અનૈતિક આચરણથી બચવું
મહાવીરનું અહિંસા-દર્શન • 43.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org