________________
હિંસાના અંકુર
તરફ નહિ, બીજ તરફ
ધ્યાન આપીએ
‘મારા સંપ્રદાયમાં આવો, તમારી મુક્તિ થઈ જશે. નહિતર નહિ થાય.' આવી ઘોષણાએ સાંપ્રદાયિક કટ્ટરતા તથા હિંસા બંનેને એકસાથે જન્મ આપ્યો. આ જ ખ્યાલના આધારે પ્રલોભન અને બળપ્રયોગ દ્વારા સંપ્રદાય-પરિવર્તનની પરંપરાનો સૂત્રપાત થયો. કેટલાક લોકો કહે છે કે ધર્મના નામે રક્તપાત થયો, યુદ્ધો થયાં, હિંસાની હોળી ખેલાઈ. હકીકતમાં આમ કહેવું ભ્રાંતિભર્યું છે. આ બધું ધર્મના નામે નથી થયું. પરંતુ સંપ્રદાય-પરિવર્તનના ખ્યાલને આધારે થયું છે. માનવીમાં સ્વાભાવિક રીતે જ વિસ્તારની ભાવના પડેલી
હોય છે. તે પોતાની જાતને મોટો બનાવવા ઝંખે છે. પોતાના વિચારોની સંખ્યા વધારવા ઇચ્છે છે. હું વિચારું છું એવું જ સૌ કોઈ વિચારે, હું કરું છું એવું જ સૌ કોઈ કરે, તમામ લોકો મારું અનુકરણ કરે એવી ઇચ્છા, એવી અદમ્ય ઝંખના દરેકને હોય છે. એ ઇચ્છા અને ઝંખનાએ જ અનેક યુદ્ધો લડ્યાં, અનેક સંઘર્ષો જીવંત બનાવ્યા.
Jain Educationa International
અહિંસાના બે વિકલ્પો
ધર્મનો પ્રશ્ન નિતાંત અલગ છે. તેની આધ્યાત્મિક વિચારણામાં સંઘર્ષ
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 42
For Personal and Private Use Only
www.jainelibrary.org