SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાના વિકાસની વાત વિચારી શકે ખરો? શું માણસ અમર છે અથવા શું તે અમર બનશે? રોગોને અટકાવવા માટે સ્વાભાવિક પ્રયત્ન કરવો એમાં કશું અનૌચિત્ય નથી. અસ્વાભાવિક પ્રયત્નોની જે પરંપરા શરૂ થઈ છે તેના કારણે અનેક પ્રશ્નો પેદા થયા છે. શું આ જગતમાં માત્ર માણસને જ જીવવાનો અધિકાર છે? માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, શું તે એટલા જ કારણે સર્વશ્રેષ્ઠ છે? આ પ્રશ્નોના ઉત્તર આજના પર્યાવરણ વિજ્ઞાનીઓ આપી રહ્યા છે. પર્યાવરણ વિજ્ઞાનના મત મુજબ એકલો માણસ આ જગતમાં જીવી શકે તેમ નથી. શ્રેષ્ઠતાની કસોટી માત્ર બૌદ્ધિકતાની જ નથી હોતી. સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવામાં જેમનું યોગદાન છે તે તમામની પોતપોતાની શ્રેષ્ઠતાછે. એ તમામ શ્રેષ્ઠતાઓનો યોગ એ જ આ જગત છે. આવી સ્થિતિમાં માણસ માટે બધુંય ક્ષમ્ય કઈ રીતે ? માણસ માટે માણસને બ્રૂણની હત્યા શું ક્ષમ્ય કહી શકાય? યુગની સમસ્યા - ક્રૂરતા , પ્રશ્ન જીવવાનો કે મરવાનો નથી. જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ મૃત્યુ પામે છે તેથી મૃત્યુ એ કોઈ અજબ ઘટના નથી. અજબ ઘટના તો છે ખોટી માન્યતા અને તેના આધારે થતું આચરણ. આ ખોટી માન્યતાઓએ પ્રકૃતિના સામ્રાજ્યમાં અનાવશ્યક હસ્તક્ષેપની પ્રવૃત્તિ પેદા કરી છે. આ હસ્તક્ષેપ માણસના કર્તુત્વને દૈવી કે ઈશ્વરીયરૂપ આપી શકે છે. કરવું ન કરવું અને અન્યથા કરવું એમાં તેને સક્ષમ બનાવી શકે છે. પરંતુ ખોટી માન્યતા અને ખોટા આચરણને કારણે માણસમાં જે ક્રૂરતા ઉત્પન્ન થાય છે તેનું સમાધાન ક્યાંથી મળે ? ક્રૂરતા આજના યુગની સૌથી મોટી સમસ્યા છે. તે કરુણાનું સતત ભક્ષણ કરી રહી છે. શું કરુણા વગર માણસ માણસ રહી શકશે ખરો? મહાવીરનું અહિંસા-દર્શન - 34 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy