SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સંભાવના અને સુરક્ષાની ભાવના જોડાયેલી છે. આ ભાવનાઓ જ ભૂણહત્યા જેવા જઘન્યતમ અપરાધ માટે જવાબદાર છે. ઔચિત્યનો પ્રશ્ન અકર્ડ કરિશ્તામિ' - જે કાર્ય કોઈએ નથી કર્યું તે હું કરીશ – એવો ખ્યાલ માણસને વાસ્તવિક સત્યથી દૂર ખેંચી જાય છે. વૈજ્ઞાનિક જગતમાં એક સ્પર્ધા જામી ગઈછે – કંઈક નવું શોધવાની અને કંઈક નવું કરવાની. નવું શોધવું એ કાંઈ ખરાબ નથી, પરંતુ જે નવી શોધ સાથે માનવજાતિના વિનાશની વાત જોડાઈ ગઈ હોય તે નવી શોધ ચોક્કસ અનિચ્છનીય છે. મેક્સિકોના ડૉક્ટરોએ પાર્કિસન (એક પ્રકારનો પૂજારીવાળો લકવા)થી પિડિત બે રોગીઓના મસ્તિષ્કમાં ભૂણના ટિસ્તુઓનું પ્રત્યારોપણ કર્યું. એથી એ રોગીઓને ખૂબ રાહત થઈ. પ્રશ્ન રાહતનો નથી, પ્રશ્ન છે નૈતિકતાનો, ઔચિત્યનો. શું એક રોગીને સાજો કરવા માટે એક ભૂણની હત્યા કરવાનું ઉચિત છે? શું તેને નૈતિક કાર્ય કહી શકાય ખરું? આચાર્ય ભિક્ષુ અહિંસાના મર્મજ્ઞ હતા. તેમણે અહિંસાને ઊંડી સૂક્ષ્મદ્રષ્ટિથી જોઈ અને તેની સમીક્ષા કરી. તેમણે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો - શું મોટા જીવોને બચાવવા માટે નાના જીવોની હત્યા કરવાનું યોગ્ય છે? આ પ્રશ્નની સમીક્ષા કર્યા પછી તેમણે લખ્યું કે જે લોકો મોટા જીવોની હિંસાને ઉચિત ગણાવે છે તે લોકો નાના જીવોના શત્રુ છે. રોગી દુઃખી છે. તેના દુઃખને દૂર કરવું એ એક ડૉક્ટરનું કર્તવ્ય હોઈ શકે. પરંતુ એ કર્તવ્ય શી રીતે હોઈ શકે કે એક નહિ જન્મેલા બાળકને મારી નાખીને એક ઘરડા કે યુવાનને બચાવવાનો પ્રયત્ન કરવો ? ભગવાન મહાવીરની વાણીમાં તે દુ:ખ-પ્રતિઘાત માટે આચરેલી હિંસા છે. રોગ એક દુઃખ છે. સેવાનું કામ કરનાર વ્યક્તિ બીજાના દુઃખનું નિવારણ કરવા ઇચ્છે છે. પરંતુ જેમ તેમ કરીને એકના દુઃખનું નિવારણ કરીને બીજાને દુઃખી કરવાનો તર્ક બુદ્ધિ , અને સમજથી પર છે. શ્રેષ્ઠતાની કસોટી. માણસ તમામ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે એવા ખ્યાલને આધારે તેના માટે કોઈપણ કરવાનું ક્ષમ્ય માની લેવામાં આવ્યું. વર્તમાન ચિકિત્સા ક્ષેત્રે લાખો મૂગાં પશુઓ પરીક્ષણ માટે મારી નાખવામાં આવે છે. શું આ હિંસાના આધારે જીવનારો માણસ | મહાવીરનું અહિંસા-દર્શન • 33 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy