________________
Jain Educationa International
માણસ
માણસ
રહી શકશે ?
અપરાધ માટે જવાબદાર કોણ ?
વાસ્તવિક સત્ય અને વ્યાવહારિક સત્ય વચ્ચે ખૂબ મોટું અંતર છે. આ અંતર ભૂતકાળમાં પણ હતું અને આજે પણછે. માનવીય દુર્બળતા અગાઉ પણ હતી અને આજે પણ છે. માણસ આદર્શની વાતો કરે છે પરંતુ એ પ્રમાણે જીવવાનું પસંદ નથી કરતો. તેની અંદર મહાનતા અને અલ્પતા બંનેનાં બીજ રહેલાં છે. મહાનતાના બીજને જ્યારે સિંચન મળેછે ત્યારે તે આદર્શ તરફ ડગલાં
ભરે છે. અલ્પતાનાં બીજ સક્રિય બનીને તેને આદર્શથી વિમુખ કરી મૂકે છે. આ જ કારણ છે વાસ્તવિક સત્ય અને વ્યાવહારિક સત્ય વચ્ચેના અંતરનું.
અહિંસા વાસ્તવિક સત્ય છે. ભગવાન મહાવીરે કહ્યું કે અહિંસા તમામ જીવોનું કલ્યાણ કરનારી છે. જેવી રીતે ભૂખ્યા માટે ભોજન, તરસ્યા માટે પાણી અને પક્ષી માટે આકાશ આધાર છે એવી જ રીતે અહિંસા સૌ કોઈનો આધારછે. વ્યવહારની સમસ્યા પ્રબળ બનેછે અને ત્યારે માણસ આ વાસ્તવિક સચ્ચાઈ સામે આંખ આડા કાન કરેછે. પુત્ર અને પુત્રીના જન્મપ્રસંગને આધારે તેનું મૂલ્યાંકન કરી શકાયછે. ભારતીય માનસમાં પુત્રના જન્મ સાથે ભવિષ્યની
મહાવીરનું અહિંસા-દર્શન • 32
For Personal and Private Use Only
www.jainelibrary.org