________________
પ્રશ્ન છે સીમાંકનનો
શું રેફ્રીજરેટર જીવન માટે અનિવાર્ય છે ? શું વાતાનુકૂલન વગર જીવી ન શકાય ? માણસ બુદ્ધિશાળીછે તેથી તે પોતાની સુવિધા માટે અનેક પદાર્થોનું નિર્માણ કરેછે. તે આદિમાણસની જેમ પ્રાકૃતિક જીવન નથી જીવતો, પરંતુ કૃત્રિમ સાધનનો ઉપયોગ કરેછે. પ્રકૃતિ સાથે અટકચાળા કરતો રહેછે. પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ તમામને પોતાનાં સુખ-સુવિધા માટે અનુરૂપ બનાવે છે. પ્રશ્ન છે એક સીમાનો. છેવટે ક્યાંક તો અટકવું જરૂરી બને છે. બુદ્ધિ અટકવાનું પસંદ નથી કરતી. ઇન્દ્રિયો પણ અટકવાનું પસંદ નથી કરતી. પછી હિંસા શી રીતે અટકે ? શાશ્વતનું ઉદાનછે ભગવાન મહાવીરનો આ સ્વર – ‘લુદ્ધા હાંતિ’ – ‘લુબ્ધ માણસ હિંસા આચરે છે.’
Jain Educationa International
મહાવીરનું અહિંસા-દર્શન ♦ 31
For Personal and Private Use Only
www.jainelibrary.org