________________
ભૂણ (ગર્ભ) પરીક્ષણ શા માટે?
હિંસાનું બીજું પાસું બરાબર તેનું વિરોધી છે. હિંસાને માન્યતા મળતી રહી છે. હિંસા છે તેનો કદાચ અનુભવ પણ થઈ રહ્યો નથી. ભૂણહત્યાને સ્વીકૃતિ મળી ચૂકી છે. ગર્ભપરીક્ષણની સગવડને કારણે તેને વિશેષ પ્રોત્સાહન મળી રહ્યું છે. ભૂણના લિંગ-પરીક્ષણ માટે આયુર્વિજ્ઞાનની બે પદ્ધતિઓ પ્રચલિત છે :
એગ્નિઓસન્ટેસિસ અને “અલ્ટોસોનોગ્રાફી એ દ્વારા ભૃણની આસપાસ રહેતાં દ્રવ્યો-પદાર્થોનું પરીક્ષણ કરીને એ જાણી લેવામાં આવે છે કે ભૂણ પુરુષ હશે કે
સ્ત્રી સ્ત્રી તરફ સાચી વિચારધારા નથી. તેને એક બોજ તરીકે સ્વીકારવામાં આવે છે. તેની સાથે દહેજ જેવી અનેક પ્રવૃત્તિઓ જોડાયેલી છે તેથી ઘરમાં દીકરી પેદા થાય તો એને ભાર સમજી લેવામાં આવે છે. દીકરાના જન્મથી જે આનંદ અને ખુશી પ્રાપ્ત થાય છે, તે આનંદ અને ખુશી દીકરીના જન્મથી નથી થતાં. અચરજની વાત એ છે કે ભારનાં કારણો સમાપ્ત કરવાં જોઈએ તે નથી થતાં અને દીકરીના ગર્ભને સમાપ્ત કરવાની જઘન્ય પ્રવૃત્તિ વ્યાપક બનતી જાય છે. અમાનવીય કૃત્ય
પ્રાચીનકાળથી કેટલીક વિશિષ્ટ જાતિઓમાં દીકરીની હત્યા કરી નાખવામાં આવતી હતી. પરંતુ આ વૈજ્ઞાનિક સંશોધનો થયા પછી હવે હજારો હજારો ભૂણ હત્યાઓ થવા લાગી છે. અહિંસાના નારા ગજવનારાઓ પણ આ અમાનવીય કૃત્યથી બચી શકતા નથી. આશ્ચર્યની પરાકાષ્ઠા તો એ છે એક સ્ત્રી પણ પોતાની જાતિ પ્રત્યે આ પ્રકારનો જઘન્ય અપરાધ આચરતાં અચકાતી નથી. ચોંકાવનારાં તથ્યો
આજે મોટાં-મોટાં શહેરોમાં સેંકડો ક્લિનિકો ખૂલી ગયાં છે, જ્યાં ભૃણહત્યાનાં ચક્રો ગતિમાન છે. ઈ.સ. ૧૯૭૮થી ૧૯૮૨ - આ પાંચ વર્ષ દરમિયાન દેશમાં ૭૬ ,૦૦૦ તથા માત્ર ૧૯૮૫માં ભૂણ હત્યાની ૪૦,૦૦૦ ઘટનાઓ ઘટી. માત્ર મુંબઈ શહેરમાં ૬,૦૦૦ ગર્ભપાતના કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા. એક વર્ષમાં સો – બસો દહેજ અંતર્ગત હત્યાઓ થવાથી દેશવ્યાપી ચિંતા પેદા થાય છે. ક્યારેક ક્યારેક તો કોઈના સતી થવાથી ઉહાપોહ થઈ જાય છે. બીજી તરફ હજારો દીકરીઓની ભૂણ હત્યા થવા છતાં તેઓ મૌન રહે છે. શું આ સામાજિક ચિંતનનો
મહાવીરનું અહિંસા-દર્શન - 26
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org