________________
ઉપયોગિતામાંથી |
પ્રગટેલું વિરોધાભાસી
ચિંતન
CT
1
હિંસા સામે આંધી
સ્વાર્થનું એક શણગારેલું સ્વરૂપ એટલે ઉપયોગિતા. આ ઉપયોગિતાના આધારે વિરોધાભાસી ચિંતનનો જન્મ થયો છે. તેનું પાલન અને પોષણ પણ તેના દ્વારા જ થયું છે. જ્યાં વ્યક્તિ સાથે સ્વાર્થ જોડાયેલો હોય છે ત્યાં સમાજ સાથે ઉપયોગિતા જોડાઈ જાય છે. સામૂહિક વિધિવિધાનોમાં ઉપયોગિતાને આધારભૂત ગણી લેવામાં આવી. જ્યારે એનાથી અળગા થઈને યથાર્થને જોઈએ છીએ ત્યારે વિરોધીયુગલો - વિસંગતિઓ જ વિસંગતિઓ જોવા મળે છે. થોડાંક વર્ષો પહેલાં રૂપકુંવર
) નામની એક સ્ત્રી સતી બની ગઈ એ ઘટનાને કારણે સમગ્ર દેશમાં વૈચારિક આંધી ઉમટી. સતીપ્રથાના વિરોધમાં ભારે ઉહાપોહ થયો. દહેજના બહાને જે સ્ત્રીઓને સળગાવી દેવામાં આવે છે અથવા તો જેમની હત્યા કરવામાં આવે છે તેમની ઘટનાઓ સમગ્ર સમાજના માનસને આંદોલિત કરી રહી છે. આવી જઘન્ય હત્યાઓ પ્રત્યે સમગ્ર સમાજના મનમાં એક પ્રકારનો ક્ષોભ પેદા થઈ રહ્યો છે. આ ક્ષોભ જોઈને એમ લાગે છે કે સમાજ હત્યા કે હિંસાનો પક્ષપાતી નથી. તે હિંસક ઘટનાઓના વિરોધમાં અડીખમ ઊભો છે.
મહાવીરનું અહિંસા-દર્શન : 25
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org