SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ વિરોધાભાસ નથી? શું આ અંતર્વિરોધ થકી ઉપજેલી વિસંગતિ નથી ? પરંતુ આપણે સ્થૂળ ઘટનાને જેટલું મહત્ત્વ આપવાનું જાણીએ છીએ તેટલું સૂક્ષ્મઘટના પ્રત્યે જાગરુક થવાનું પસંદ કરતા નથી. જે સમાજ સૂક્ષ્મ ઘટના પ્રત્યે જાગરુક નથી બનતો તે સમાજ સ્થળઘટનાની પુનરાવૃત્તિને પણ નથી રોકી શકતો. સાચી દિશામાં એક પગલું થોડાંક વર્ષો પૂર્વે મહારાષ્ટ્ર સરકારે ભૃણની લિંગ-પરીક્ષણ-પદ્ધતિને ગેરકાનૂની જાહેર કરી હતી. એ વાત સાચી દિશાનું એક સાચું પગલું હતું. તેની સાથે સામાજિક ચેતના જગાડવી પણ જરૂરી છે. કાનૂનની પોતાની એક મર્યાદા હોય છે અને તે સમાજ માટે આવશ્યક પણ હોય છે. પરંતુ સામાજિક ચેતનાનું જાગરણ એથી વિશેષ આવશ્યક છે. નારી પ્રત્યે ભાર (બોજ)નો જે ખ્યાલ પેદા થયેલો છે તેને દૂર કરવો અત્યંત આવશ્યક છે. આ ખ્યાલને બદલ્યા વગર ભૂણ હત્યાની જે પરંપરા ચાલી રહી છે તેને રોકવાનું સરળ નથી. માન્યતાનું મહોરું સમાજ ખ્યાલો અને માન્યતાઓના આધારે છે. એ માન્યતાઓની પાછળ મૌલિક મનોવૃત્તિઓ કામ કરતી હોય છે. દેશ, કાળ અને નિમિત્ત પ્રમાણે એક જ મૌલિક મનોવૃત્તિ અનેક મહોરાં ધારણ કરીને અભિવ્યક્ત થતી હોય છે. એક કન્યા સાથે બોજનો ખ્યાલ એ એક મોટું છે. પડદાની પાછળ અહંકારની મનોવૃત્તિ કામ કરી રહી છે. માણસ અહંકાર અને પ્રતિષ્ઠાનું કોકડું ઉકેલી શકતો નથી. તેને બદલે એક ભૂણની હત્યા કરી શકે છે અથવા તો જીવતી યુવતીને સળગાવી શકે છે. આ એક સઘનમૂર્છા છે. આ મૂર્છાએ એક ખ્યાલ પેદા કર્યો - “જે ઉપયોગી હોય તેને જીવતું રાખવું, જે ઉપયોગી ન હોય તેને સમાપ્ત કરી દેવું. આ ઉપયોગિતાવાદી ખ્યાલ માનવીય મૂલ્યો માટે સૌથી મોટું સંકટછે.' તેણે અસ્તિત્વ ઉપર પ્રગાઢ આવરણ ઢાંકી દીધું છે. તેથી માણસ કર્ણાહીન બની જાય છે. ક્રૂરતા ખૂબ છે, કરુણા ઓછી છે. અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીરે કહ્યું હતું - ‘આ પ્રાણીહત્યા નિષ્કરુણ હોય છે - પાવહો નિપ્રિવાસો નિકલુણો / ‘આ મોહ મહાભય વધારી મૂકે છે – મોહ-મહબભય પવઢઓ / ચારે તરફ ભય વધી રહ્યો છે. અભયની શોધ અનિવાર્ય બની છે. ન મહાવીરનું અહિંસા-દર્શન ૧ 27 - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy