SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આપણે એકલા નથી F પર્યાવરણનું મૌલિક સૂત્ર આ જગતમાં હું એકલો નથી. માત્ર મારું જ અસ્તિત્વ નથી,' પર્યાવરણ વિજ્ઞાનનું આ મૌલિક સૂત્ર છે. પ્રત્યેક વ્યક્તિ પોતાની આસપાસ તમામ દિશાઓમાં પર્યાવરણનું કવચ પહેરીને શ્વાસ લઈ રહી છે. તેના પરિપાર્શ્વમાં જીવ અને અજીવ બંનેનું પર્યાવરણ છે. ભગવાન મહાવીરે કહ્યું – માટી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ તમામમાં જીવછે. તેમના અસ્તિત્વનો અસ્વીકાર ન કરો. તેમના અસ્તિત્વનો અસ્વીકાર એટલે છે આપણા પોતાના જ અસ્તિત્વનો અસ્વીકાર ! પોતાના અસ્તિત્વનો અસ્વીકાર કરનાર જ તેમના અસ્તિત્વને નકારી શકે છે. સ્થાવર અને જંગમ, દશ્ય અને અદશ્ય - તમામ જીવોનું અસ્તિત્વ સ્વીકારનાર વ્યક્તિ જ પર્યાવરણ સાથે ન્યાય કરી શકે છે. કોઈ એકલું નથી અચેતન જગતના અસ્તિત્વનો પણ અસ્વીકાર ના કરો. આ સંસારમાં રહેનાર પ્રત્યેક ચેતન સત્તાએ અચેતનનુંછત્ર ઓઢેલું છે. જીવ, જીવને પ્રભાવિત મહાવીરનું અહિંસા-દર્શન • 21 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy