________________
કરે છે. તે અજીવને પણ પ્રભાવિત કરે છે. અજીવ જીવને પ્રભાવિત કરે છે. પ્રભાવના આ પ્રવાહો અત્યંત સંક્રમણશીલ છે. તેથી કોઈ પણ વ્યક્તિ એકલી નથી. હિમાલયની ગુફામાં બેઠેલી એકલી વ્યક્તિ પણ પોતાની સાથે સમગ્ર સંસાર લઈને બેઠેલી છે.
સામંજસ્યનું સૂત્રઃ અહિંસા
બીજાઓનાં અસ્તિત્વ, ઉપસ્થિતિ, કાર્ય અને ઉપયોગિતાનો સ્વીકાર કરનાર વ્યક્તિ જ, વ્યક્તિ અને સમાજ વચ્ચે સામંજસ્ય સ્થાપી શકે છે.
અહિંસા સામંજસ્યનું સૂત્ર છે. પર્યાવરણ વિજ્ઞાન અને અહિંસા વચ્ચે અભિન્નતા છે. આ વિજ્ઞાન વર્તમાન શતાબ્દીની ભેટ છે. અહિંસાનો સિદ્ધાંત ખૂબ જ જૂનો છે. ભગવાન મહાવીરે અહિંસાને અનેક દૃષ્ટિએ જોઈ. એક દષ્ટિ છે - પર્યાવરણ વિજ્ઞાન. મહાવીરનું આ સૂત્ર તેને પ્રબળ સ્વર આપે છે. સે બેમિ - સેવં સયં લોગં અભાઈખેજ્જા, ણેવ અત્તર્ણ અભાઈખેજ્જા /
જે લોયં અભાઈખઈ સે અજ્ઞાણે અભાઇખઈ7' જે અત્તાણું અભાઇષ્ણઈ સે લોયં અભાઇખાં’
પર્યાવરણ અસંતુલન કેમ?
ભગવાન મહાવીરે માત્ર પર્યાવરણનો આધાર જ આપ્યો નથી, તેની ક્રિયાન્વિતિનો માર્ગ પણ બતાવ્યો છે. જે જીવોની હિંસા વગર તમારી જીવનયાત્રા ચાલી શકે તેમ હોય, તેમની હિંસા ના કરો. જીવનયાત્રા માટે જેમનો ઉપયોગ અનિવાર્ય હોય તેમની પણ અનાવશ્યક હિંસા ન કરો. પદાર્થનો પણ અનાવશ્યક ઉપભોગ ન કરો. આ નિર્દેશના સંદર્ભમાં વર્તમાન પર્યાવરણની સમસ્યાની સમીક્ષા અનિવાર્ય છે. આજે પૃથ્વીનું વધારે પડતું શોષણ થઈ રહ્યું છે. એથી જગતનું સંતુલન બગડી રહ્યું છે. ઊર્જાના સ્રોત સમાપ્ત થવા આવ્યા છે. ખનિજ ભંડારો ખાલી થઈ રહ્યા છે. આજના વૈજ્ઞાનિકો ઊર્જાના નવા સ્રોતો શોધવામાં મગ્ન બન્યા છે. સાથોસાથ ઉપલબ્ધ સ્રોતોની સમાપ્તિ અંગે પણ ચિંતિત બન્યા છે. પાણીનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. આશંકા એવી છે કે એક દિવસ પીવાનું પાણી દુર્લભ થઈ જશે. જંગલો અને વૃક્ષોની આડેધડકતલનાં પરિણામો અનેક પ્રદેશો ભોગવી
મહાવીરનું અહિંસા-દર્શન 22
--
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org