________________
તો પરમાણુ અસ્ત્રોની પ્રતિસ્પર્ધા ઉપર નિયંત્રણ લાવવું જ પડશે, પાછા વળીને તેનું ઉન્મેલન પણ કરવું પડશે. આ અનુભવની દિશામાં જે પ્રથમ પ્રયાસ શરૂ થયો છે તે વિશ્વશાંતિના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. તે માટે ગોર્બોચોવ અને રેગન - એ બંન્ને મહાશક્તિના પ્રતિનિધિઓને ધન્યવાદ આપી શકાય તથા આપવા જોઈએ. વિશ્વશાંતિના ઇતિહાસમાં સાતમી ડિસેમ્બરના દિવસને એક કલ્યાણકારી દિવસ તરીકે સૌ યાદ કરશે.
રૂસ અને અમેરિકા
પ્રજા અને શાસન - એ બંન્ને વચ્ચે ઘણું અંતર વધી જાય છે. શાસનમાં આવનારા લોકો પ્રજામાંથી જ આવે છે પરંતુ તેની પીઠ ઉપર બેસતાં જ તેમના વિચારો બદલાઈ જાય છે. થોડોક તો જવાબદારીનો ભાર હોય છે અને થોડીક નવું કિંઈક કરવાની મહત્ત્વાકાંક્ષા જાગી જાય છે. જવાબદારી નિભાવવા માટે જાગરુક રહેવું પણ જરૂરી હોય છે. પરંતુ મહત્ત્વકાંક્ષા જાગરુકતાને ભયાક્રાંત બનાવી મૂકે છે. શાસકની ચારે તરફ ભયનું આભામંડળ રચાઈ જાય છે. તે અન્ય રાષ્ટ્રોને ભય, આશંકા અને આતંકની દષ્ટિએ જોવાનું શરૂ કરી દે છે. તે કાલ્પનિક ભય અકારણ જ બે રાષ્ટ્રોને એકબીજાનાં વિરોધી કે શત્રુ બનાવી દે છે. પ્રજાની સ્થિતિ શાસકના વિચારથી અલગ હોય છે. તે શાન્તિથી જીવવા ઇચ્છે છે અને અહેતુક શત્રુતાને આમંત્રણ આપવા માંગતી નથી. ગોર્બોચોવે એક મુલાકાતમાં જણાવ્યું કે એ વર્ષે તેમને અમેરિક નાગરિકોના લગભગ એંશી હજાર જેટલા પત્રો મળ્યા હતા. મોટા ભાગના પત્રોમાં એ પ્રશ્ન હતો કે સોવિયેત સંઘ અને અમેરિકા પૂર્વે મિત્રો હતા તો હવે એક વખત ફરીથી શા માટે મિત્રો ન બની શકે? આ વ્યક્તવ્યમાં પ્રજાની મનોદશાનું એક સ્પષ્ટ ચિત્ર તરી આવે છે. અહિંસાના આધારસ્તંભ
અભય અને મિત્રતા એ બંને અહિંસાના આધારસ્તંભ છે. ભગવાન મહાવીરની અહિંસાદેષ્ટિમાં જીવન અને મરણ એ મહત્ત્વનાં તત્ત્વો નથી. તેમાં મહત્ત્વનાં તત્ત્વો છે – જીવનમાં અભય અને મૈત્રીનો વિકાસ. આજે સમગ્ર
ન મહાવીરનું અહિંસા-દર્શન - 19 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org