________________
જીત પછી વિજયનો ઉલ્લાસ ઉજવવામાં આવતો હતો. આજના યુદ્ધમાં જીત પછી હારની ખામોશી છવાઈ જાય છે. એ તો સૌ કોઈ જાણે છે કે અણુયુદ્ધ પછી હાર કે જીતને જોનાર કોઈ બચવાનું નથી. પ્રલયની આ કલ્પનાથી પ્રત્યેક વ્યક્તિ પ્રકંપિત છે અને એ પણ પ્રકંપિત છે કે જે લોકો અણુઅસ્ત્રોનો ભંડાર ભરી રહ્યા છે. કેવું ભયાનકછે અણુયુદ્ધનું ચિત્ર છતાં અણુશસ્ત્રોનું નિર્માણ કેમ વધતું જાય છે? તેનો ઉત્તર મહાવીરની વાણીમાંથી શોધી શકાય તેમ છે. નિઃશસ્ત્રીકરણની ત્રિપદી
મહાવીરે કહ્યું – અભય, અશસ્ત્ર અને અહિંસા - આ ત્રણેય વચ્ચે કોઈ તફાવત નથી. અભયનો ઉચ્છવાસ છે અશસ્ત્ર અને અશસ્ત્રનો ઉચ્છવાસ છે અહિંસા. નિઃશસ્ત્રીકરણની વાત અભય વગર સફળ થઈ શકે નહિ. પ્રત્યેક રાષ્ટ્ર પોતાની
સ્વતંત્રતા સાચવી રાખવા ઇચ્છે છે, પોતાની મુખ્ય સત્તા ટકાવી રાખવા ઇચ્છે છે. તે બીજા શક્તિશાળી રાષ્ટ્રથી હંમેશાં આતંકિત રહે છે. આ આશંકા અને આતંક અહેતુક પણ નથી. જેવી રીતે ભય એક મૌલિક મનોવૃત્તિ છે, તેવી જ રીતે લોભ પણ એક મૌલિક મનોવૃત્તિ છે. પ્રત્યેક રાષ્ટ્ર પોતાની મુખ્ય સત્તાનો વિસ્તાર ઝંખે છે. અન્ય રાષ્ટ્રોને પોતાને અધીન અથવા તો પ્રભાવ નીચે રાખવા ઇચ્છે છે. આ લોભ ભય પેદા કરે છે અને ભય શસ્ત્રોને જન્મ આપે છે. નિર્લોભીકરણ તથા અભયીકરણ વગર નિઃશસ્ત્રીકરણની વાત સરળ જણાતી નથી.
સાતમી ડિસેમ્બર : કલ્યાણકારી દિવસ
વર્તમાન સમયમાં નિઃશસ્ત્રીકરણનો સંદર્ભ બદલાઈ ગયો છે. પરંપરાગત શસ્ત્રોની સમાપ્તિની વાત હજી કરવામાં આવતી નથી. હજી એ શસ્ત્રોને ખતમ કરવાની વાત કરવામાં આવે છે કે જે સમગ્ર માનવજાતિ માટે પ્રલયની લીલા રચવામાં સમર્થ છે. મધ્યમ તથા લઘુઅંતરનાં પ્રક્ષેપાસ્ત્રોના ઉન્મેલનનું ખાસ મહત્ત્વ નથી. પરમાણુ અસ્ત્રોના વિશાળ ભંડારના તે માત્ર તણખા છે. મહત્ત્વની વાત એ છે કે અસ્ત્રનિયંત્રણની દિશામાં એક ડગલું આગળ વધ્યા છીએ. મોટી શક્તિઓએ અનુભવ કર્યો છે કે માનવજાતિનું અસ્તિત્વ તથા પરમાણુ અલ્સ બંનેને એક સાથે ચલાવી શકાય નહિ. જો માનવજાતિના અસ્તિત્વને ટકાવી રાખવું હોય
ન મહાવીરનું અહિંસા-દર્શન • 18 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org