________________
શસ્ત્રીકરણના મૂળ સુધી પહોંચીએ
CT (
1
માણસે ઓઢી છે શિવની જવાબદારી
શસ્ત્રનિર્માણની હરીફાઈના આ યુગમાં નિઃશસ્ત્રીકરણની વાત એક વિસ્મયની વાત છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં સમગ્ર જગતનું ધ્યાન અસ્ત્ર-શસ્ત્રોમાં અટવાયેલું રહ્યું છે. જગતની સંપત્તિનો એક ઘણો મોટો હિસ્સો શસ્ત્રનિર્માણમાં વપરાઈ રહ્યો છે. આજે કેટલાંક રાષ્ટ્રો એ રેખા ઉપર પહોંચી ગયાં છે કે તેઓ જ્યારે ઇચ્છે ત્યારે માનવજાતિનો પ્રલય કરી શકે તેમ છે. પૌરાણિક સાહિત્યમાં એમ કહેવાય છે કે શિવ પ્રલયના
દેવ છે. શું પ્રલય માનવજાતિની નિયતિ છે ? જો તે નિયતિ હોય તો તેને કોણ ટાળી શકશે? જે કામ શિવે કરવાનું હતું, તેની જવાબદારી માણસે પોતાના માથે ઓઢી લીધી છે. શું માણસ ખરેખર આ પૃથ્વી ઉપર રહેતી માનવજાતિનો સંહાર કરવા ઇચ્છે છે? આ પ્રશ્નનો ઉત્તર ઉજ્જવળ બપોરે શોધવો પડશે. જીત પછી હારની ખામોશી
વર્તમાનનું યુદ્ધ પ્રાચીન યુદ્ધ કરતાં અલગ પડી ગયું છે. પ્રાચીન યુદ્ધમાં
મહાવીરનું અહિંસા-દર્શન - 17
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org