________________
મર્યાદાથી વધારે નહિ રાખું.
- હું પદાર્થોના ભોગ-ઉપભોગની મર્યાદા પાળીશ. તે બધાનો આવશ્યકતા કરતાં વધારે સંગ્રહ નહિ કરું.
- શસ્ત્રોનું નિર્માણ કે વેચાણ નહિ કરું.
સંચમ કાલિક સત્ય છે
ભગવાને ઉક્ત આચારસંહિતામાં જે સંકલ્પ તરફ સંકેત કર્યો છે તે સંકલ્પો આજે પણ એટલા જ પ્રાસંગિક અને મહત્ત્વપૂર્ણ છે જેટલા તે સમયે હતા. શસ્ત્રીકરણની સમસ્યા તે સમય કરતાં આજે વધારે વિકટ છે. સંગ્રહ અને ભ્રષ્ટાચારની સમસ્યા પણ ઓછી વિકટ નથી. પદાર્થો ઓછા છે અને ઉપભોક્તાઓ વધારે છે. આ સંદર્ભમાં વસ્તુઓના વધુ ઉપભોગની સમસ્યા પણ ઓછી જટિલ નથી. સૃષ્ટિ સંતુલન વિદ્યા (ઈકોલોજી)નો સિદ્ધાંત છે કે વસ્તુના ઉપભોગની મર્યાદા કરવી જોઈએ કારણ કે ભોક્તાઓ વધુ છે અને ભોગ્ય વસ્તુઓ ઓછી છે. તેથી ઉપભોગની પરિસીમા અત્યંત અનિવાર્ય છે. ભગવાન મહાવીરે આ સિદ્ધાંતનું પ્રતિપાદન સંયમની દષ્ટિએ કર્યું હતું. સંયમના આ સિદ્ધાંતો સામયિક સમસ્યાઓના સમાધાન માટે આજે પણ અત્યંત ઉપયોગી છે. સંયમ સૈકાલિક સત્ય છે તેથી તેની ઉપયોગિતા પ્રત્યેક દેશ અને કાળમાં રહે છે. '
મહાવીરનું અહિંસા-દર્શન - 190.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org