SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ તે આવી પડેલી સમસ્યાઓમાં અટવાતો નથી, પરંતુ સમસ્યા પેદા કરનારી મૌલિક સમસ્યાનું ઉન્મૂલન ક૨વા તરફ ધ્યાન આપે છે. ભગવાન મહાવીરે હિંસા અને પરિગ્રહની સમસ્યાના મૂળ ઉન્મૂલનને ખૂબ મહત્ત્વ આપ્યું. તેઓ પ્રથમ વ્યક્તિ હતા કે જેમણે અપરિગ્રહ અને અહિંસા ઉપર અત્યંત ભાર મૂક્યો. તેમની દૃષ્ટિમાં હિંસા અને પરિગ્રહ મૂળ સમસ્યા નથી. પરિગ્રહ લોભ દ્વારા પેદા થતી સમસ્યા છે. હિંસા એ લોભ, ક્રોધ, ભય વગેરે અનેક કારણે પેદા થનારી સમસ્યા છે. સમાધાનનાં આધારસૂત્રો ભગવાન મહાવીરે સમસ્યાઓને બે દૃષ્ટિએ મૂલવી. સ્થૂળ દૃષ્ટિએ જોઈએ તો હિંસા અને પરિગ્રહની સમસ્યા નજર સામે આવેછે અને સૂક્ષ્મ દૃષ્ટિએ જોઈએ તો ક્રોધ અને લોભની સમસ્યા નજર સામે આવે છે. હિંસા અને પરિગ્રહની સમસ્યાના નિવારણ માટે તેમણે એક આચારસંહિતા તૈયાર કરી. તેનાં આધારભૂત સૂત્રો આ પ્રમાણે છે - - હું નિરપરાધ ત્રસ પ્રાણીની સંકલ્પપૂર્વક હિંસા નહિ કરું, બીજાઓ પાસે પણ એવી હિંસા નહિ કરાવું. – હું ખાસ કરીને બીજા માણસોને બળપૂર્વક અનુશાસિત કરવાનો, તેમના ઉપર આક્રમણ કરવાનો, તેમને પરાધીન બનાવવાનો, તેમને અસ્પૃશ્ય માનવાનો, તેમને શોષિત કે વિસ્થાપિત કરવાનો પરિત્યાગ કરું છું. હું આ અહિંસા અણુવ્રતની સુરક્ષા માટે વધબંધન, અંગભંગ, અતિભારઆરોપણ, ખાદ્ય, પેય, વિચ્છેદ અને આગ લગાડવા જેવાં ક્રૂર કર્મોથી દૂર રહીશ. - હું ચોરી કરેલી ચીજ ખરીદવી, રાજ્ય દ્વારા નિષિદ્ધ વસ્તુઓની આયાતનિકાસ કરવી, અસલીને બદલે નકલી માલ વેચવો, ભેળ-સેળ કરવી, ખોટાં તોલમાપ કરવાં તથા લાંચ-રુશ્વત લેવી વગેરે વંચનાપૂર્ણ વ્યવહારોથી દૂર રહીશ. - હું પરિગ્રહના વ્યક્તિગત સ્વામિત્વની મર્યાદા રાખીશ. જમીન, ઘર, સોનું, ચાંદી, રત્ન, ધન-ધાન્ય, પશુ-પક્ષી, ધાતુ, ગૃહ સામગ્રી, યાન-વાહન વગેરે ચોક્કસ મહાવીરનું અહિંસા-દર્શન ♦ 189 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy