________________
વર્તમાન સમસ્યાના સંદર્ભમાં ભગવાન મહાવીર
દરેક યુગને પોતપોતાની સમસ્યાઓ હોય છે. કેટલીક સમસ્યાઓ સામયિક હોય છે અને કેટલીક સમસ્યાઓ શાશ્વત હોય છે. ક્રોધ, અહંકાર, લોભ, ભય અને વાસનાની સમસ્યાઓ શાશ્વત છે. એ બધી મૌલિક વૃત્તિઓ છે. એ મૌલિક મનોવૃત્તિઓથી સમાજ હંમેશાં આક્રાંત રહ્યો છે. આ મનોવૃત્તિઓ સામયિક સમસ્યાઓ પેદા કરે છે.
સમસ્યાનો મૂળ સ્રોત છે ભગવાન મહાવીરનો દૃષ્ટિકોણ ઊભયસ્પર્શી
હતો. તેઓ મૂળનો સ્પર્શ કરતા હતા અને સાથે સાથે ડાળાં-પાંદડાંને પણ સ્પર્શતા હતા. ભગવાન મહાવીરે કહ્યું કે - ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર તમામ સમસ્યાઓનાં મૂળ છે, તેથી તેમનું ઉન્મેલન કરો. જે વ્યક્તિ તેમનું ઉન્મેલન કરે છે તે સમસ્યાના મૂળ ઉપર પ્રહાર કરે છે. આ મૂળસ્પર્શી દૃષ્ટિકોણને સિંહવૃત્તિ કહેવામાં આવે છે. સિંહ ઉપર ગોળી તાકવામાં આવે છે ત્યારે તે ગોળી તરફ નથી જોતો, પરંતુ ગોળી તાકનાર તરફ દોડે છે. તેને સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જેનો દૃષ્ટિકોણ મૂળસ્પર્શી હોયછે
મહાવીરનું અહિંસા-દર્શન • 188
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org