________________
આયુર્વેદમાં
ગ્રથિતંત્ર
વર્તમાન આયુર્વિજ્ઞાને જેટલો વિકાસ કર્યો છે તેનું મૂળ કારણ છે – નિત નવી શોધો અને તેનું પ્રાયોગિક પરીક્ષણ. આયુર્વેદ પ્રાચીનકાળમાં અત્યધિક વિકસિત હતું. આજે તેનો વિકાસ મોટે ભાગે અવરોધાયેલો છે. જો આયુર્વેદને વિકસિત કરવું હોય તો તેને આધુનિક મેડિકલ સાયન્સના સંદર્ભમાં જ વિકસિત કરી શકાય તેમ છે. આયુર્વેદનો અતીત જેટલો સમૃદ્ધ હતો તેટલો વર્તમાન નથી. વિશુદ્ધ ભારતીય સંપદા
જયપુરમાં ગણાધિપતિશ્રીના સાંનિધ્યમાં રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગે એક સંગોષ્ઠિનું આયોજન કર્યું હતું. તેમાં તત્કાલીન શિક્ષણમંત્રી, શિક્ષણસચિવ, શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, વિશ્વવિદ્યાલય અને મેડિકલ કૉલેજના પ્રોફેસરો તથા અનેક પ્રબુદ્ધ વ્યક્તિઓ ભાગ લઈ રહી હતી. “પ્રેક્ષાધ્યાન અને જીવનવિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં ભાવાત્મક વિકાસ' એ ચર્ચાનો મુખ્ય વિષય હતો. વ્યક્તિની વૃત્તિઓ કેવી રીતે બદલી શકાય? એટિટ્યૂટ - સ્વભાવમાં પરિવર્તન કેવી રીતે લાવી શકાય ? આદતોમાં પરિવર્તન કરી રીતે શક્ય બને ? તેમને
મહાવીરનું અહિંસા-દર્શન - 183
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org