________________
બદલવાની પ્રાયોગિક વિધિ શી છે? વગેરેના સંદર્ભમાં પ્રવચન દરમ્યાન મેં ક્રોધ અને નશાની આદતના નિયમન માટે કેટલાક પ્રયોગો રજુ કર્યા. તે વિષય ઉપર થયેલી ચર્ચા સાંભળીને મેડિકલ કૉલેજના વાઈસ પ્રિન્સિપાલ અભિભૂત થઈ ઊઠ્યા. તેમણે અચરજભર્યા શબ્દોમાં પૂછ્યું - આ બધા સિદ્ધાંતો અને પ્રયોગો આપે ક્યાંથી ગ્રહણ કર્યા? આ સિદ્ધાંતો આવ્યા ક્યાંથી? તેના જ્ઞાનનો મૂળ સ્રોત કયા દેશમાંથી આવ્યો છે?
મેં કહ્યું કે આ બધું આપણા દેશમાં જ ઉપલબ્ધ છે. ભારતના અધ્યાત્મશાસ્ત્રવિદોએ તેનું વિસ્તૃત વિવેચન કર્યું છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથમાં પણ તેની સંકેતલિપિ ઉપલબ્ધ છે. તેની ક્યાંયથી આયાત કરવામાં આવી નથી જો કે આપણું વર્તમાન મેડિકલ સાયન્સ મોટે ભાગે આયાતિત છે, પરંતુ તે વિશુદ્ધ ભારતીય સંપદા છે.
વાઇસ પ્રિન્સિપાલે કહ્યું, આપ જે સિદ્ધાંતોની ચર્ચા કરી રહ્યા છો, જે ભાવાત્મક પરિવર્તનની વાત કરી રહ્યા છો, તે કદાચ વર્તમાન મેડિકલ સાયન્સમાં સો વર્ષ પછી આવશે! આજે તો તેનું માત્ર પરિકલ્પના (હાઈપોથીસિસ) સ્વરૂપે જ અસ્તિત્વ છે. પ્રાચીન ભારતનો આત્મા છે. સંસ્કૃત અને પ્રાકૃત
હકીકતમાં આપણે આપણી પ્રાચીન પરંપરાથી પરિચિત નથી. પ્રાચીન જ્ઞાનની વિશેષતાઓનું આપણને જ્ઞાન નથી અને તેનું જ્ઞાન આજે શક્ય પણ નથી. કારણ
સ્પષ્ટ છે - આયુર્વિજ્ઞાનના વર્તમાન વિદ્યાર્થીઓ માત્ર ત્રણ-ચાર શતાબ્દીઓના વિજ્ઞાનના પરિઘમાં પોષણ પામતા સિદ્ધાંતો, શોધ રિપોર્ટો અને પ્રયોગો અંગે જ જાણકારી ધરાવે છે. ભારતીય ચિંતનમાં હજારો વર્ષ પૂર્વે જે વૈજ્ઞાનિક અન્વેષણો અને પ્રયોગો થયાં, જે જ્ઞાન લાંબા સમય સુધી થયેલાં પ્રયોગો-પરિક્ષણો અને અનુભવો દ્વારા આપણા ચિંતન સાથે જોડાયું, તેનાથી આજના વિદ્યાર્થીઓ સર્વથા અપરિચિત છે. આ અપરિચયનું કારણ છે - જાણવાના માધ્યમનો અભાવ. પ્રાચીન જ્ઞાનને પ્રકાશમાં લાવવામાં માત્ર બે જ માધ્યમો છે – સંસ્કૃત અને પ્રાકૃત. જ્યાં સુધી આ ભાષાઓનું અધિકૃત જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી પ્રાચીન ભારતીય આત્મા, ભારતીય ચિંતન સાથે આપણો સંપર્ક શી રીતે શક્ય બને ? સંપર્કસૂત્ર જ વિચ્છિન્ન રહે, સાધનનો અભાવ રહેતોજ સાધ્ય સુધી પહોંચવાનું શી રીતે શક્ય બને? વર્તમાનમાં પ્રાચીનથી અપરિચય એટલો બધો વધી ગયો છે કે પ્રાચીન ચિંતનની શ્રેષ્ઠતાઓ સાથે
ન મહાવીરનું અહિંસા-દર્શન 184 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org