________________
સંગ્રહની મનોવૃત્તિ સંઘર્ષનું કારણ
પ્રત્યેક વ્યક્તિમાં અર્થસંગ્રહ (ધનસંગ્રહ)ની વૃત્તિ હોય છે. તે વધુમાં વધુ અર્થસંગ્રહ ઇચ્છે છે. સંગ્રહની આ મનોવૃત્તિ પણ સંઘર્ષ અને અથડામણો પેદા કરે છે. નિમ્નવર્ગના લોકોમાં ઉચ્ચવર્ગ પ્રત્યે સભાવના નથી. તેનું કારણ સ્પષ્ટ છે કે ઉચ્ચવર્ગ નિમ્નવર્ગથી નિરપેક્ષ થઈને જીવવા ઇચ્છે છે. તે પોતાનાં સુખ-સુવિધાઓ જ વધારવા ઇચ્છે છે. આવી વૈયક્તિક સુવિધાવાદી મનોવૃત્તિએ સમાજ અને રાષ્ટ્રને તોડવામાં મુખ્ય ભૂમિકા નિભાવી છે. એકાત્મકતાનું સૂત્ર
અનેકાંતનું પ્રથમતત્ત્વ સાપેક્ષ છે. પ્રત્યેક વિચાર સાપેક્ષ હોય છે. એક વ્યક્તિ પોતાના વિચારને સાચા માને છે, તે ઠીક હોઈ શકે, જ્યારે તે પોતાના વિચારને સાપેક્ષ માને. બીજાઓના વિચાર સાથે તેનો સમન્વય સ્થાપી શકે.
પાણી જીવન છે, તેના વગર જીવન ચાલી શકતું નથી. એ વિચાર સાચો છે, પરંતુ ભોજનની અપેક્ષાએ સાચો છે. જ્યારે શ્વાસ અને પાણીની તુલના કરવામાં આવે ત્યારે એમ જ કહેવું પડશે કે, શ્વાસ જીવનછે. પાણી જીવન ચલાવવાનું એક સાધન છે. એક તત્ત્વ બીજા તત્ત્વ સાથે ગુંથાયેલું છે. એક વિચાર બીજા વિચાર સાથે જોડાયેલો છે. આ ગુંથણી અને જોડની સાપેક્ષતા સમજીને જ એકાત્મકતાનો વિકાસ કરી શકાય છે. ગતિમાં બંને પગ સાપેક્ષ છે. એક પગ આગળ વધે છે, બીજો પગ પાછળ રહી જાય છે. પાછળનો પગ આગળ આવે છે અને આગળવાળો પગ પાછળ રહી જાય છે. આવા ગૌણ અને મુખ્યભાવથી સમાજની વ્યવસ્થા અને રાષ્ટ્રની એકાત્મકતા ચાલી શકે છે.
આગ્રહ બાધક છે
આગ્રહ ગતિ અને વિકાસ બંનેમાં બાધક છે. આજે સમાજમાં જાતીયતા, ભાષા, પ્રાંતીયતાના આગ્રહો ઉછેર પામી રહ્યા છે. આ બધાં વિઘટનકારક તત્ત્વો છે. કોઈપણ ભાષાનું મહત્ત્વ હોઈ શકે છે, પરંતુ તેનું એટલું મહત્ત્વ ન હોઈ શકે કે તે ભાવાત્મક એકતાને વિખંડિત કરી દે. જાતિની ઉપયોગિતા હોઈ શકે, પરંતુ માનવતામાં તીરાડો પેદા કરે એટલું મહત્ત્વ તેને ન આપી શકાય.
મહાવીરનું અહિંસા-દર્શન 17
12
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org