________________
જૈન દર્શનમાં રાષ્ટ્રીય એકતામાં
તત્ત્વો
ભાવાત્મક એકતાનું પ્રથમ સૂત્ર
પ્રત્યેક વ્યક્તિ અપૂર્ણ છે. અપૂર્ણતાનો અર્થ વિકાસની અપૂર્ણતાછે. ક્ષમતા છે પરંતુ તે વિકસિત નથી. અપૂર્ણતાથી પૂર્ણતાની દિશામાં પ્રસ્થાન કરવાનું માધ્યમ ધર્મ છે. જૈન દર્શનમાં એ જ ધર્મને ઉત્કૃષ્ટ મંગલ માનવામાં આવે છે. અહિંસા, સંયમ અને તપ એ ત્રણ તેનાં રૂપ છે. અસંયમ અને સુખવાદ કે સુવિધાવાદ એ બધાં સમાજમાં વિઘટન પેદા કરનારાં તત્ત્વો છે. તેમની સાધના માટે અનેકાંત દષ્ટિનો વિકાસ આવશ્યક છે.
ભાવાત્મક એકતાનું પ્રથમ સૂત્રો સમ્યક્ દર્શન છે. અનેકાંત સમ્યક દર્શન છે. સાપેક્ષતા અને સમન્વયરૂપે તેનો વ્યવહાર કરી શકાય છે.
પ્રત્યેક વ્યક્તિમાં પોતાના વિચારો માટે આગ્રહ હોય છે. તે પોતાના વિચારને બીજાના વિચારની અપેક્ષાએ વધારે મહત્ત્વ આપે છે. આવા આગ્રહને કારણે વૈચારિક સંઘર્ષ પેદા થાય છે. એ જ રીતે જાતિ અને સમાજમાં પણ વૈચારિક અથડામણો થાય છે. આ વૈચારિક હિંસા ભાવાત્મક એકતાને નષ્ટ કરી દે છે.
મહાવીરનું અહિંસા-દર્શન - 176
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org