________________
સાપેક્ષતાનાં પ્રતીક
જૈન દર્શનનો ધ્રુવ સિદ્ધાંત છે કે મૂળભૂત રીતે માનવજાતિ એક જ છે. તે ઉપયોગિતા અને વ્યાવહારિકતાની દૃષ્ટિએ અનેક લોકોમાં વિભક્ત છે. ઉપયોગિતા મૌલિકતાનું અતિક્રમણ કરે એ વાત અસંગત છે. રાષ્ટ્રોનાં એકમો પણ ઉપયોગિતાના આધારે બન્યાં છે, પરંતુ તે શાંતિપૂર્ણ જીવન ત્યારે જ જીવી શકે કે
જ્યારે સાપેક્ષતાનાં સૂત્રોથી બંધાયેલાં હોય. સાપેક્ષતા એટલી બધી જોડાયેલી છે કે કોઈપણ રાષ્ટ્ર અલગ થઈને એકલું જીવી શકે નહિ. એક રાજધાનીમાં સેંકડો રાષ્ટ્રોના દૂતાવાસોનું અસ્તિત્વ એ પણ સાપેક્ષતાનું પ્રતીક છે. અહિંસાનો પ્રથમ મુકામાં
આપણે સૌ સાપેક્ષ છીએ. આ સત્ય હૃદયંગમ કરી લીધા પછી જ સમન્વયની વાત આગળ વધી શકે છે. સાપેક્ષતાની અનુભૂતિ થાય છે ત્યારે સમન્વય દ્વારા પરસ્પર સંબંધ સ્થપાય છે. સાપેક્ષતા અને સમન્વયની દિશામાં પ્રસ્થાન અહિંસાનો પ્રથમ મુકામ બને છે. હિંસા દ્વારા માંગ પૂરી થઈ જાય છે, સફળતા જલદી મળી જાય છે એવો વિશ્વાસ માનવીના મનમાં દઢ અને રૂઢ થઈ ગયો છે. ક્યારેક સફળતાનો આભાસ મળી પણ જાય છે તેથી તેને પુષ્ટિ મળી જાય છે. વ્યાપક સંદર્ભમાં તેને જોઈએ તો ખબર પડે છે કે માનવજાતિનું સૌથી વધુ અનિષ્ટ હિંસાએ કર્યું છે.
ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને મહાત્મા ગાંધીએ આ સચ્ચાઈ તરફ સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. તેમ છતાં હિંસાનું પાસું અત્યંત પ્રબળ છે, તેને ભારે સમર્થન મળે છે. રાષ્ટ્રીય વિઘટન હિંસાનો જ એક તણખો છે. હિંસાની સમસ્યા
માનવજાતિ એક છે એ સિદ્ધાંતની વાત છે. વ્યાવહારિક વાત તેનાથી જુદી છે. કર્મ, સંસ્કાર, વિચાર, રુચિ અને આચારની દૃષ્ટિએ પ્રત્યેક માણસ ભિન્ન છે. એ ભિન્નતા જ સંઘર્ષ, હિંસા અને તનાવનું કારણ બને છે. જેમનામાં આવેશની પ્રબળતા હોય તે લોકો હિંસામાં વિશ્વાસ કરે છે. બૌદ્ધિક લોકોએ તેને ઓછું પ્રોત્સાહન નથી આપ્યું.
| મહાવીરનું અહિંસા-દર્શન - 178.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org