________________
એક પ્રશ્ન છે જૈનમુનિ સમક્ષ અને એક પ્રશ્ન છે જૈનશ્રાવક સમક્ષ – શું એ દિશામાં ગતિ શરૂ થઈ છે કે નહિ? આગળ વધ્યાછો કે નહિ? આ પ્રશ્નનો ઉત્તર શોધવો એ જ છે જૈનદર્શનને જીવવું. જૈનદર્શનને જીવવું એટલે સત્યને જીવવું, યથાર્થન
જીવવું.
સત્ય અને બાજુના બે અલગ નથી
કોઈકે ભગવાન મહાવીરને પૂછ્યું - ભંતે ! ધર્મ ક્યાં રહે છે? ભગવાન - શુદ્ધ આત્મામાં. ભંતે ! શુદ્ધ આત્માની ઓળખ શી છે? ભગવાન - ઋજુતા, સરળતા. ભંતે ! ઋજુતા શું છે? ભગવાન - જે સત્ય છે. ભંતે ! સત્ય શું છે? ભગવાન - જે ઋજુતા છે. ઋજુતા અને સત્યને અલગ પાડી શકાતાં નથી. સત્યના ચાર પ્રકાર છે - શરીરની ઋજુતા ભાવની ઋજુતા ભાષાની ઋજુતા
અવિસંવાદી પ્રવૃત્તિ - કહેણી-કરણીની સમાનતા. વ્રતનું સ્થાન બીજું છે
કેટલાક ચિંતકો કહે છે કે જૈનધર્મમાં અહિંસા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. સત્ય ઉપર કોઈ ભાર મૂકાયો નથી. આવું ચિંતન કોઈ એકાદ જૈન વ્યક્તિની વર્તમાન જીવન-પ્રણાલીમાંથી પેદા થઈ શકે છે. જૈન દર્શન અને તેની વાસ્તવિક જીવન-પ્રણાલીમાંથી આવી ભ્રાંતિ પેદા થઈ શકે નહિ. અહિંસા એક વ્રત છે. મહાવીરના દર્શનમાં વ્રતનું સ્થાન બીજુંછે. સમ્યક્ દર્શન અને સમ્યકત્વનું સ્થાન પ્રથમ છે. જે સમ્યફ છે તે સત્ય છે અને જે સત્ય છે તે સમ્યક છે. સત્ય અને
મહાવીરનું અહિંસા-દર્શન • 173
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org