________________
સમ્યક્ દર્શનની પ્રાપ્તિ વગર અહિંસાની આરાધના યથાર્થરૂપે ક્યાંથી શક્ય બને? સજ્જાનું પ્રથમો ધર્મ
આચારઃ પ્રથમો ધર્મ: આ ઘોષ અત્યંત પ્રચલિત છે. જૈન દર્શનનો ઘોષ એનાથી જુદો છે. ભગવાન મહાવીરે કહ્યું – “પઢમં નાણું તઓ દયા’ - પ્રથમ જ્ઞાન, પછી આચરણ. આચાર જ્ઞાનનો સાર છે. “નાણસ્સ સાર આયારો' જ્ઞાનનો અર્થ માત્ર તથ્યો અને ઘટનાઓને જાણવાં એટલો જ નથી. તેનો અર્થ છે સમ્યક્ દર્શનની છત્રછાયામાં ઉપજતું જ્ઞાન. મિથ્યાદર્શનનાં વલયોમાં જે જ્ઞાન થાય છે તે રાગ અને દ્વેષથી પ્રભાવિત હોય છે. તેથી તે જ્ઞાનને જૈનદર્શનમાં અજ્ઞાન માનવામાં આવેછે. જૈન શાસનમાં જ્ઞાન એને જ માનવામાં આવે છે કે જેના દ્વારા પદાર્થ પ્રત્યે વિરાગ અને શ્રેય પ્રત્યે અનુરાગ પેદા થાય, જેના દ્વારા મૈત્રીની ચેતના જાગે અને સમતાની અનુભૂતિ વિકસે. સમ્યક્ દર્શન વગર સમ્યક્ જ્ઞાન શક્ય નથી. સમ્યક્ જ્ઞાન વગર સમ્યક્ આચરણ શક્ય નથી. જૈનદર્શનમાં સમ્યક્ દર્શનનું સ્થાન પ્રથમ, સમ્ય જ્ઞાનનું સ્થાન બીજું અને સમ્યક્ આચરણનું સ્થાન ત્રીજું છે. સમ્યક્ દર્શન અને સમ્યક જ્ઞાન વચ્ચે તફાવતની ચર્ચા ન કરીએ તો એવો ઘોષ બને છે કે - “સજ્જાનું પ્રથમો ધર્મ
લોકશ્રુતિ અને વાસ્તવિકતા
જૈનદર્શન માત્ર ક્રિયાવાદી નથી અને માત્ર જ્ઞાનવાદી પણ નથી. તે જ્ઞાન અને ક્રિયા બંનેની યુતિ સ્વીકારે છે. જ્ઞાન વગર ક્રિયા અને ક્રિયા વગર જ્ઞાન બંને અધૂરાં છે. સાધનાની પરિપૂર્ણતા એ બંનેના સમન્વય થકી જ થાય છે.
અહિંસા એક ક્રિયા છે, એક આચરણછે. જૈનદર્શન અહિંસા ઉપર વધારે ભાર મૂકે છે તેવી એક લોકશ્રુતિ બની ગઈ છે. હકીકત કંઈક બીજી જ છે. જૈનદર્શનનો ભાર કશાય ઉપર નથી. તે સમન્વયવાદી અને સાપેક્ષવાદી દર્શન છે તેથી કોઈ એક અંશ ઉપર તે ભાર ન મૂકી શકે. તે જેટલો ભાર જ્ઞાન ઉપર મૂકે છે, એટલો જ આચાર ઉપર મૂકે છે અને જેટલો ભાર આચાર ઉપર મૂકે છે એટલો જ જ્ઞાન ઉપર મૂકે છે. બંને પાસાં સંતુલિત છે. ત્રાજવાનું કોઈ પણ પલ્લું હલકું કે ભારે નથી.
મહાવીરનું અહિંસા-દર્શન - 174
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org