________________
આવી. વાતચીત દરમ્યાન તેણે કહ્યું, ગુરુજી ! હું આપની પાસેથી માર્ગદર્શન મેળવવા આવી છું. ગણાધિપતિશ્રીએ પૂછ્યું, બોલો, શી બાબત છે? તે બહેને રડતાં રડતાં કહ્યું, ગુરુજી ! આ જગતમાં હું જેટલી દુઃખી છું એટલું દુઃખી કદાચ બીજું કોઈ નહિ હોય. આપ મને શાંતિ અને સુખનો માર્ગ બતાવો. ગણાધિપતિ એ વાત સાંભળીને અવાકુ બની ગયા. ધ્યાનનું મુખ્ય પ્રયોજન
જેમની પાસે અરબોની સંપતિ છે, મોટાં મોટાં કારખાનાં છે છતાં તેઓ કહે છે કે અમે જેટલાં દુઃખીછીએ તેટલું દુઃખી આ જગતમાં કોઈ નથી! આવું સાંભળીને ખૂબ આશ્ચર્ય થાય છે. આ યથાર્થની સમસ્યા નથી. આ તો માનસિક અને ભાવનાત્મક સમસ્યા છે. વૃત્તિઓ બદલવી, ખ્યાલો બદલવા, ખોટી માન્યતાઓ બદલવી વગેરે ધ્યાનનું મુખ્ય પ્રયોજન છે. આજકાલ એમ કહેવામાં આવે છે કે ધ્યાન કરો જેથી તમારું બ્લડપ્રેશર સંતુલિત થઈ જશે, લોહીનું દબાણ યોગ્ય થઈ જશે. તમારી અમુક બીમારી મટી જશે, આમ થઈ જશે - તેમ થઈ જશે! મારી દષ્ટિએ આ તમામ વાતો ધ્યાનને ભટકાવનારી છે. ધ્યાનનું એ મુખ્ય પ્રયોજન નથી. ઘણી બધી બીમારીઓ અને ખાસ કરીને જે સાઈકોસોમેટિક બીમારીઓ છે, તે ધ્યાન દ્વારા મટી શકે છે એ ખરું, પરંતુ ધ્યાનનું તે મુખ્ય પ્રયોજન નથી. એ તો ગૌણ વાત છે. આચાર્ય ભિક્ષુ હંમેશાં કહેતા કે માણસ ખેતી કરશે અનાજ માટે. જ્યારે અનાજ પેદા થશે ત્યારે તેની સાથે પલાલ પણ ઊગશે, તૂડી પણ ઊગશે. અન્ય પણ અનેક ચીજો આપોઆપ ઊગી નીકળશે. પરંતુ એ તો પ્રાસંગિક છે. મુખ્ય વાત તો અનાજ પેદા થાય તે છે. એ જ રીતે ધ્યાનનું મુખ્ય પ્રયોજન પોતાના ચિત્તને પવિત્ર બનાવવાનું, નિર્મળ બનાવવાનું, ખ્યાલોને સમ્યફ બનાવવાનું, દૃષ્ટિકોણને સમ્યફ બનાવવાનું છે. જ્યારે દૃષ્ટિકોણ બદલાય છે ત્યારે ઘણી બધી બાબતો બદલાઈ જાય છે.
કાલ્પનિક સમસ્યાઓ માનસિક સમસ્યા છે. તે ધ્યાન દ્વારા બદલાઈ જાય છે. માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ એ બંનેને મટાડવા માટે કોઈ પદાર્થ ઉપયોગી નથી થતો. જગતમાં બીજું કોઈ સાધન નથી. પોતાના ચિત્તને વ્યવસ્થિત કરવું, નિયોજિત કરવું અને પોતાના દૃષ્ટિકોણને સમ્યક્ બનાવવો એ જ તેનો એક માત્ર ઉપાય છે.
ન મહાવીરનું અહિંસા-દર્શન - 160 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org