SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણી બધી દાર્શનિક સમસ્યાઓ પણ આવે છે. પુનર્જન્મ એક દાર્શનિક સમસ્યા છે. પૂર્વજન્મ, આત્મા, પરમાત્મા વગેરે અંગે પણ દાર્શનિક સમસ્યાઓ છે. પરંતુ એ સમસ્યાઓમાં વિશેષ મૂંઝવણ નથી. જે પદાર્થ સૂક્ષ્મ હોયછે, આપણી બુદ્ધિથી ૫૨ હોય છે, તેને આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએછીએ. જો તે ન સમજાય તો ભવિષ્યમાં સમજવા માટે તેને છોડી દઈ શકીએ છીએ. પરંતુ તેમાં તાત્કાલિક અટવાઈ જવાની જરૂર પડતી નથી. વિડંબના ધાર્મિક જગતની એક વખત અમારી સામે આત્મા વિશેની એક પ્રશ્નાવલિ આવી. મેં તેનો ઉત્તર લખ્યો. ઘણા બધા પ્રશ્નો હતા, તેમાં એક પ્રશ્ન આત્મા અને પુનર્જન્મ અંગેનો હતો. મેં લખ્યું કે હું આત્માને માનું છું પરંતુ જાણતો નથી. મારા એ ઉત્તરને કારણે ચકચાર પેદા થઈ ગઈ. તે વખતે મારું નામ મુનિ નથમલ હતું. એ જ નામથી દાર્શનિક વિષયો ઉપર સમગ્ર સાહિત્ય રચ્યું હતું. અનેક પ્રબુદ્ધ જૈન વિદ્વાનોએ લખ્યું કે મુનિ નથમલજી નાસ્તિક બની ગયા છે. આસ્તિક માણસ એવું કઈ રીતે કહી શકે કે, ‘હું આત્માને જાણતો નથી ?’ અને આવું કહેનાર વ્યક્તિ નાસ્તિક જ હોઈ શકે, મુનિ તો હોઈ જ ન શકે. વાતાવરણ ઉગ્ર બની ગયું. ગણાધિપતિશ્રી પાસે લાંબા લાંબા અનેક પત્રો આવ્યા. તેમાં લખ્યું હતું કે મુનિ નથમલજીએ આવું કેમ લખ્યું ? શું તેઓ નાસ્તિક બની ગયા છે ? ગણાધિપતિશ્રીએ મને પૂછ્યું, તમે આ શું કરી નાંખ્યું ? મેં જણાવ્યું કે મેં સાચું જ લખ્યુંછે. ‘હું આત્માને માનુંછું, પરંતુ જાણતો નથી.' વાત ખૂબ આગળ વધી ગઈ. ઘણા લોકો આવ્યા. મારી સાથે વાતચીત કરવા બેઠા. મેં કહ્યું, કહો, શી વાત છે ? તેમણે કહ્યું, તમે આવું શી રીતે લખી નાખ્યું કે, હું આત્માને જાણતો નથી ? આત્માને જાણ્યા વગર કોઈ વ્યક્તિ આસ્તિક બની જ ન શકે એવી અમારી વ્યાખ્યા છે. મેં કહ્યું કે, મેં ખૂબ સમજી વિચારીને લખ્યું છે અને અનુભવપૂર્વક લખ્યું છે. તેમણે પૂછ્યું, કેવી રીતે ? મેં કહ્યું, શું તમે લોકો આત્માને જાણો છો ? તેમણે કહ્યું, હા. અમે તો બધું જાણીએ છીએ. તેમણે ઉદાહરણો આપવાનું શરૂ કર્યું. આત્માના અસ્તિત્વ વિશે અમુક ગ્રંથમાં આમ લખ્યું છે, અમુક ગ્રંથમાં આમ લખ્યું છે, અમુક ગ્રંથમાં આમ લખ્યું છે. તેમણે દસ ઉદાહરણો આપી દીધાં. મેં કહ્યું, અરે ભાઈ સાહેબ ! તમે માત્ર મહાવીરનું અહિંસા-દર્શન ♦ 161 11 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005330
Book TitleMahavirnu Ahimsa Darshan
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year2001
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy