________________
દહેજની આસપાસ વિષવૃક્ષો પેદા થઈ ગયાં છે.
અણુવ્રત આંદોલનમાં દહેજની વિકૃતિને દૂર કરવાના બે ઉપાયો આપવામાં આવ્યા છે –
૧. દહેજ માટે ઠરાવ ન કરવો. ૨. દહેજનું પ્રદર્શન ન કરવું.
આ બે ઉપાયોનો વિસ્તાર કરીએ તો કેટલીક સંભાવનાઓ વિશે વિચારી શકાય છે, કેટલાક વિકલ્પો રજૂ કરી શકાય તેમ છે. એ વિકલ્પો ઉપર સામૂહિક ચર્ચા અને સામૂહિક ચિંતનો થવાં જોઈએ. દહેજનું નિર્ધારણ વિવાહ પૂર્વે
ચિંતનનું પ્રથમ બિંદુ એ છે કે વિવાહ સાથે દહેજનો સંબંધ ન રહેવો જોઈએ. પિતા પોતાની પુત્રીને જે કાંઈ આપે તેનું નિર્ધારણ વિવાહ પૂર્વે થઈ જાય અને વિવાહ સંબંધ કરનારને અગાઉથી તેની ખબર હોય. આવી સ્પષ્ટતાનો અર્થ એ થશે કે સંભાવનાના આધારે સંબંધ કરનારા લોકો ઓછી કિંમત મળવાથી લગ્ન પછી નવવધૂને પજવેછે, પીડા આપે છે, મહેણાં મારે છે – એવી સ્થિતિ નહિ રહે. વિવાહકક્ષનું નિયોજન
ચિંતનનું બીજું બિંદુ એ છે કે વિવાહ પ્રસંગે આપવાની પ્રથા સમાપ્ત કરી દેવામાં આવે. એનો અર્થ એ થશે કે વિવાહનો સંબંધ માત્ર વધૂસાથે છે, તેની સાથે આવનારી સામગ્રી સાથે નહિ. અત્યારે લેવડ-દેવડની પ્રથામાં સામગ્રીનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે, વધૂનું મહત્ત્વ ખૂબ ઓછું થઈ ગયું છે. ક્યારેક ક્યારેક તો એમ લાગે છે કે જાણે વિવાહ ધન સાથે થઈ રહ્યો છે, કન્યા સાથે નહિ! આ કાર્યને આગળ વધારવા માટે અણુવ્રત સમિતિ અંતર્ગત એક વિવાહ કક્ષનું નિયોજન જરૂરી છે. તે કક્ષનું કાર્ય લોકસંપર્ક, અણુવ્રતના સંકલ્પોને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવા અને વિવાહને દહેજના દાનવથી મુક્ત કરવાનું રહેશે. મહિલાઓ આગળ આવે
સુવિધાવાદી અને લાલચુ મનોવૃત્તિ છોડાવવાનું સાવ સહેલું નથી. એમાં ઘણી બધી મુશ્કેલીઓ છે. સૌથી મોટી મુશ્કેલી તો એ છે કે મહિલાઓ પોતે જ
મહાવીરનું અહિંસા-દર્શન - 145
10
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org