________________
છે, તેનું રક્ષણ કરે છે. તમે તો મારા બંને હાથ પકડી લીધા છે. હવે મને કોઈ વાતની ચિંતા નથી. આ વાત ઉપર બાદશાહ પ્રસન્ન થઈ ઊઠ્યો અને રાજકુમારનો રાજ્યાભિષેક કરી દીધો. હિંદુ સમાજની આ સાંસ્કૃતિક પરંપરાને આજે દહેજ કલંકિત કરી રહ્યું છે. બીજાઓને રક્ષણ આપવાની વાત તો દૂર ગઈ, પરંતુ એક અસહાય યુવતીની પોતાના જ ઘરમાં હોળી સળગાવી દેવામાં આવે છે ! આવી હોળી સળગાવનારા લોકો એ છે કે જેઓ ધર્મમાં શ્રદ્ધા ધરાવે છે, પોતે કરેલાં કર્મોનું ફળ ભોગવવામાં વિશ્વાસ ધરાવે છે. એક તરફ ધર્મ અને બીજી તરફ એક વ્યક્તિને જીવતી સળગાવી દેવી ! આ એવડો મોટો વિરોધાભાસ અને એટલું મોટું આશ્ચર્ય છે કે જેના વિશે વિચારી પણ નથી શકાતું અને તેના વિશે કશું કહી પણ નથી શકાતું. જરૂર છે એક અભિયાનની
વધુમાં વધુ દહેજ મેળવવાની મનોવૃત્તિ માત્ર અભણ લોકોમાં જ નથી. આ મનોવૃત્તિ એવા લોકોમાં પણ જોવા મળે છે કે જેઓ ખૂબ ભણેલા છે. બૌદ્ધિકતા દહેજની આ બીમારીનો ઇલાજ નથી. તેનો ઇલાજ છે- કરુણાનો વિકાસ, માનવીય દૃષ્ટિકોણ અને સંવેદનશીલતાના સૂત્રની અનુભૂતિ. સુવિધાવાદી તથા પ્રદર્શનના દૃષ્ટિકોણે કરુણાનો સ્રોત સૂકાવી દીધો છે. તેને ફરીથી વહેતો કરવા માટે એક અભિયાનની અપેક્ષા છે, એક આંદોલનની જરૂર છે. લોભ અને સુવિધાવાદની મનોવૃત્તિ વ્યક્તિને કઠોર બનાવી મૂકે છે. એ કઠોરતાના તાપથી સંવેદનાનો રસ સૂકાઈ જાય છે. પદાર્થ અને માણસ એ બંનેમાં માણસનું મૂલ્ય અધિક છે. આ સચ્ચાઈને પ્રકાશમાં લાવવાનું આવશ્યક છે. આ કાર્ય માટે કોઈ એક નવી વ્યવસ્થાનું ચિંતન થવું જોઈએ. દહેજની વ્યવસ્થા ખૂબ પ્રાચીન થઈ ચૂકી છે. તેમાં પરિવર્તન લાવવાનું કેટલું શક્ય બનશે તે કહી શકાય તેમ નથી. પ્રાચીન સાહિત્યમાં દહેજનાં મોટાં મોટાં વર્ણનો મળે છે. જાણવા મળે છે કે આ વ્યવસ્થા હજારો વર્ષ પ્રાચીન છે. અગાઉ એ સ્વાભાવિક હતી, આજે તે અત્યંત વિકૃત બની ગઈ છે. વિરોધ કોનો?
એક તર્ક રજૂ થાય છે કે પિતા પોતાની પુત્રીને કંઈક આપે તો એમાં ખોટું શું છે? આ તકનો વિરોધ કરી શકાય તેમ નથી. વિરોધ એનો કરવાનો છે કે જે
મહાવીરનું અહિંસા-દર્શન - 144
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org