________________
મુશ્કેલીઓને સહન કરતાં કરતાં પણ જીવતો હતો. આજનો માણસ મુશ્કેલીઓ સહિત જીવવા તૈયાર નથી. તે આર્થિક મુશ્કેલીઓમાં જીવવા પણ નથી માગતો, અભાવનું જીવન જીવવા પણ નથી માગતો અને ઋતુઓની મુશ્કેલીઓનું જીવન જીવવા પણ નથી માગતો. સામાજિક અવમૂલનનું જીવન પણ જીવવા નથી માગતો. દહેજની સમસ્યા આ બધી મુશ્કેલીઓના પરિઘમાં છે. જે લોકો આર્થિક અભાવનું જીવ જીવી રહ્યા છે તેમના માટે દહેજ આર્થિક અભાવની સમસ્યાનું સમાધાન છે. જે લોકો મોતન કરવા નથી માગતા અને મફતનું ધન હજમ કરવા ઝંખે છે તેમને દહેજ દ્વારા મોટી મોટી આશાઓ હોય છે. ભારતીય સાહિત્યમાં એવી અનેક કથાઓ અને ઘટનાઓ મળે છે જે આપણી પુરુષાર્થપરાયણ સંસ્કૃતિને જગાડે છે. એક રાજકુમારે રાજાને કહ્યું કે હું મારા પુરુષાર્થ ઉપર વિશ્વાસ ધરાવું છું તેથી હું મારા પુરુષાર્થ દ્વારા જે કમાઈશ એ જ ખાઈશ. હું કોઈનો આશ્રિત થઈને જીવવા નથી માગતો. એક રાજકુમારીએ રાજાને કહ્યું કે હું બીજાના ભાગ્ય ઉપર જીવવા નથી માગતી. પોતાના શ્રમ ઉપર મને પૂર્ણ વિશ્વાસ છે. તેથી આપ મારી ચિંતા ન કરશો. મને મારા પુરુષાર્થ દ્વારા જે કાંઈ પ્રાપ્ત થશે તે જ મારા માટે સર્વસ્વ બની રહેશે. આવું ચિંતન ઉદાત્ત સંસ્કૃતિનું ચિંતન છે. જે સમાજ પોતાના ભાગ્ય ઉપર, પોતાના પુરુષાર્થ ઉપર ભરોસો નથી કરતો અને મફતમાં મળેલા ધન ઉપર ભરોસો કરે છે તે ક્યારેય ઊંચાઈના શિખરે પહોંચી શકતો નથી. મૂલ્યાંકન પદાર્થનું અવમૂલ્યન યુવતીનું
મોટરસાઈકલ, કાર, રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટી.વી., ફ્રીઝ વગેરે અનેક પદાર્થો છે. આ પદાર્થો વર્તમાન માનવીનાં સાથી-સંગી બની ચૂક્યાછે. એ તમામની પૂર્તિ દહેજ દ્વારા થાય એવી કલ્પના પણ પર્યાપ્ત માત્રામાં દઢ થઈ ચૂકી છે. આ કલ્પનાએ પદાર્થનું મૂલ્ય વધારી દીધું અને પરણિત યુવતીનું અવમૂલ્યન કરી દીધું. ભારતીય લગ્નસંસ્થા એક પવિત્ર અનુબંધ સહિત ચાલી રહી છે. તેમાં વર અને વધુનો સંબંધ બાહ્ય નથી, ખૂબ ઊંડાણનો છે. બાદશાહે ગુજરાતના રાજકુમાર જયસિંહનો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને કહ્યું, તારા પિતાજી મૃત્યુ પામ્યા છે અને તું હજી બાળક છે. બોલ, તું શું કરી શકીશ? બાળક જયસિંહે જવાબ આપ્યો, હિંદુ લગ્નવિધિમાં વર એક વખત વધૂનો હાથ પકડી લે છે પછી તેને જીવનભર નિભાવે
મહાવીરનું અહિંસા-દર્શન - 143.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org