________________
સાસુઓ
બદલાય તો વહુઓનું બળી મરવાનું
બંધ થાય !
વહુઓ શા માટે બળી મરે છે? - આ એક સળગતી સમસ્યા છે. અનેક લોકોના મુખે આ સમસ્યા સાંભળવા મળે છે. તેનું સમાધાન લોકસભાના પ્રાંગણમાં, મેદાનમાં અને બજારમાં પણ શોધવામાં આવે છે, પરંતુ હજુ સુધી તેનો ઉત્તર મળ્યો નથી. સુવિધાવાદ, મહેનત વગર માલ મેળવી લેવાની મનોવૃત્તિ, પ્રદર્શન અને મોટાઈ. આ બધી મોટી મોટી ખાઈઓ છે, તેમને પાર કર્યા વગર સમાધાન સુધી પહોંચી શકાય તેમ નથી.
માણસમાં ક્રોધ, અહંકાર અને લોભનાં
છે સંસ્કારબીજ હયાત છે. સિંચન મળતાં જ તે અંકુરિત અને પલ્લવિત થઈ ઊઠે છે. તે પલ્લવિત થતાં વહુઓ પણ સળગી શકે છે, પિતા પણ સળગી શકે છે અને દીકરો પણ સળગી શકે છે. ક્રોધપ્રેરિત હત્યાઓ ચાલી રહી છે. દહેજનો પ્રશ્ન સીધેસીધો ક્રોધ સાથે જોડાયેલો નથી. તેનો સંબંધ સુવિધાવાદ, મફતનું ખાવાની વૃત્તિ, પ્રદર્શન અને મોટાઈ સાથે છે. દહેજની સમસ્યાઃ આપત્તિઓના પરિઘમાં
વૈજ્ઞાનિક યુગમાં સુવિધાવાદી દૃષ્ટિકોણ ખૂબ પાંગર્યો છે. પ્રાચીન માણસ
| મહાવીરનું અહિંસા-દર્શન - 142
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org