________________
ત્રણેય રોગનાં કારણો બને છે. વર્તમાન જટિલ બીમારીઓનું મુખ્ય કારણ શું નકારાત્મક ચિંતન જ નથી? વિધાયક ચિંતન કરવાનું બહુ ઓછા લોકો જાણે છે. સ્વસ્થ જીવન જીવવા માટે વિચારવું કેમ? એ વિષય ઉપર ગંભીરતાથી મનન અને નિદિધ્યાસન થવું જરૂરી છે.
મહત્ત્વપૂર્ણ ઉપચાર
પ્રેક્ષા ધ્યાનની પદ્ધતિમાં ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષાનું સ્થાન મહત્ત્વપૂર્ણ છે. આયુર્વિજ્ઞાનના મત મુજબ ગ્રંથિઓના સ્રાવનું અસંતુલન રોગનું મુખ્ય કારણ છે. ચૈતન્ય કેન્દ્ર અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વચ્ચે નજીકનો સંબંધ છે. ચૈતન્ય કેન્દ્રો એ છે કે જ્યાં ચેતનાની સઘનતા હોય છે. આયુર્વેદમાં તેમને મર્મસ્થાન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણાં વિદ્યુત ચુંબકીય ક્ષેત્રો છે. તે જાગૃત અને સક્રિય થાય છે ત્યારે પ્રાણ-શક્તિ બરાબર કાર્ય કરે છે. પ્રેક્ષાધ્યાનની પદ્ધતિમાં તેર ચૈતન્ય કેન્દ્રો ઉપર પ્રેક્ષાના પ્રયોગો કરવામાં આવે છે. તે ચૈતન્ય કેન્દ્ર આ પ્રમાણે છે -
૧. શક્તિકેન્દ્ર ૮. ચાક્ષુષકેન્દ્ર ૨. સ્વાથ્ય કેન્દ્ર ૯. અપ્રમાદ કેન્દ્ર ૩. તૈજસ કેન્દ્ર ૧૦. દર્શન કેન્દ્ર ૪. આનંદકેન્દ્ર ૧૧. જ્યોતિકેન્દ્ર ૫. વિશુદ્ધિ કેન્દ્ર ૧૨. શક્તિ કેન્દ્ર ૬. બ્રહ્મકેન્દ્ર ૧૩. જ્ઞાન કેન્દ્ર ૭. પ્રાણકેન્દ્ર
શક્તિકેન્દ્રથી ચિત્તની યાત્રા શરૂ કરો. પ્રત્યેક ચૈતન્ય કેન્દ્ર ઉપર બે બે મિનિટની પ્રેક્ષા કરો. બે મિનિટ લઘુમસ્તિષ્કની પ્રેક્ષા કરો. આવો અડધો કલાકનો પ્રયોગ શારીરિક અને માનસિક રોગો માટેનો મહત્ત્વનો ઉપચાર બની રહેશે.
મહાવીરનું અહિંસા-દર્શન - 141.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org