________________
થઈ રહ્યાં છે. સાધનાની દષ્ટિએ ધ્વનિ પ્રકંપનોનું ખૂબ મહત્ત્વ છે તો આરોગ્યની દૃષ્ટિએ પણ એનું મહત્ત્વ ઓછું નથી. એક મુમુક્ષુ વિદ્યાર્થિની યકૃતની બીમારીથી પીડાતી હતી. લાંબા સમય સુધી દવા લેવાછતાં કોઈ લાભ થયો નહિ. તેની સાધના અને અધ્યયનમાં અવરોધ પેદા થતો હતો. તેણે પોતાની સમસ્યા મારી સામે રજૂ કરી. મેં તેને “હું ધ્વનિનો પ્રયોગ કરવા ક્યું. ત્રણ મહિના પછી તેનું યકૃત તદન સ્વસ્થ થઈ ગયું. ધ્યાનની શક્તિ, સંકલ્પની શક્તિ એને એકાગ્રતાની શક્તિ પણ વધી તથા તેનું શરીર પણ સ્વસ્થ થઈ ગયું. હું એ નિષ્કર્ષ ઉપર પુનઃ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છું છું કે આરોગ્ય અને ધ્વનિ-પ્રકંપનો વચ્ચે ગાઢ સંબંધ છે.
રોગના બે પ્રકાર
- શરીર અને મન બંનેની પરસ્પર નિરપેક્ષ વ્યાખ્યા થઈ શકતી નથી. એ બંને નિતાંત સાપેક્ષછે. શરીરથી મન પ્રભાવિત થાય છે અને મનથી શરીર પ્રભાવિત થાય છે. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ, મન સ્વસ્થ તો શરીર સ્વસ્થ. શરીર રોગી બને છે ત્યારે મન પણ રોગી બને છે અને મન રોગી બને છે ત્યારે શરીર રોગમુક્ત રહી શકતું નથી. શરીરમાં ઉત્પન્ન થયેલો રોગ મનને રોગી બનાવે છે, તેને “સોમેટો સાઇકિક ડિસીસ' કહેવામાં આવે છે. મનમાં ઉત્પન્ન થયેલો રોગ શરીરને રોગી બનાવે છે, તેને “સાઈકો સોમેટિક ડિસીસ' કહેવામાં આવે છે. આયુર્વેદમાં આધિષ્ઠાન ભેદને કારણે રોગના બે પ્રકારો પાડવામાં આવ્યા છે –
૧. શરીરના અધિષ્ઠાનથી થતો રોગ – શારીરિક રોગ ૨. મનના અધિષ્ઠાનથી થતો રોગ - માનસિક રોગ
વર્તમાન બીમારીઓનું મુખ્ય કારણ
તાવ વગેરે શારીરિક રોગ છે. ક્રોધ વગેરે માનસિક રોગ છે. ઉન્માદ, અપસ્માર વગેરે રોગો શરીર અને મન બંનેના યોગથી પેદા થાય છે. આ ત્રીજો પ્રકાર બંનેના સંયોગથી થાય છે. મનના રોગો પ્રથમ મનને પીડિત કરે છે, પછી શરીરને. શરીરના રોગો પ્રથમ શરીરને પીડિત કરે છે, પછી મનને. માનસિક સિદ્ધિના અભ્યાસ દ્વારા માત્ર મન જ સ્વસ્થ નથી થતું, શરીર પણ સ્વસ્થ થાયછે. યોગવિદ્યાનું મુખ્ય સૂત્ર છે, ભાવનાત્મક સ્વાથ્ય, માનસિક સ્વાથ્ય. મનનો વિષય છે ચિંતન. ચિંતન ન કરવું, અતિચિંતન કરવું તેમજ ખોટી રીતે ચિંતન કરવું એ
મહાવીરનું અહિંસા-દર્શન - 140
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org