________________
(૧) સ્પર્શેન્દ્રિય પ્રાણ (૬) મનોબળ (૨) રસનેન્દ્રિય પ્રાણ (૭) વચનબળ (૩) ઘ્રાણેન્દ્રિય પ્રાણ (૮) કાયબળ (૪) ચક્ષુરિન્દ્રિય પ્રાણ (૯) શ્વાસોચ્છવાસ પ્રાણ (૫) શ્રોત્રેન્દ્રિય પ્રાણ (૧૦) આયુષ્ય પ્રાણ
આમાં આયુષ્ય પ્રાણ મૂળ શક્તિ છે. એ જ છે આપણી જીવન-શક્તિ. તેના જ આધારે શરીર પોતાનું કાર્ય કરે છે. નાડીતંત્ર, વિવિધ રસાયણો અને તમામ ધાતુઓ શરીર પ્રાણને અધીન રહીને પોતાનું કાર્ય કરે છે.
આયુષ્ય અને શરીર એ બંને શક્તિઓની વચ્ચે સેતુ છે – શ્વાસોચ્છવાસ પ્રાણ. સમગ્ર જીવન જીવવું કે અકાળે કાળનો કોળિયો બની જવું, શરીરનું સમ્યગતિએ ચાલવું અથવા તો લથડાતા ચાલવું એ બધામાં શ્વાસોચ્છવાસનું મહત્ત્વપૂર્ણ યોગદાન છે. દીર્ઘશ્વાસ પૂર્ણ જીવન જીવવામાં સહાયક બને છે. નાના શ્વાસ અકાળ મૃત્યુને આમંત્રણ આપે છે. શ્વાસના રહસ્યને સમજ્યા વગર આરોગ્યના રહસ્યને સમજી શકાતું નથી. મિથ્યાશ્વાસને કારણે અનેક રોગો પેદા થાય છે. શ્વાસ લેવો એ એક કલા છે, એક વિજ્ઞાન છે. ઘણા લોકો સમ્યફ રીતે શ્વાસ લેવાનું જ નથી જાણતા. યોગનું મૂળ સૂત્ર શ્વાસ અને આરોગ્યનું મૂળ સૂત્ર પણ છે શ્વાસ.
આયુષ્ય, શરીર અને શ્વાસોચ્છવાસની પ્રાણ શક્તિ યોગ્ય રીતે કાર્ય કરતી હોય તો ઇન્દ્રિય, વચન અને મનની પ્રાણશક્તિ પણ યોગ્ય રીતે પોતાનું કાર્ય કરે છે. સ્પર્શચિકિત્સા, રસચિકિત્સા, ગંધચિકિત્સા, શબ્દચિકિત્સા અને રૂપચિકિત્સા આ પાંચ ચિકિત્સા પદ્ધતિઓ પાંચ ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવે છે. આરોગ્યના સંદર્ભમાં ઇન્દ્રિય પ્રાણની ઉપેક્ષા કરી શકાય નહિ. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ બધાં ચિકિત્સાનાં સારાં માધ્યમો છે. તે માત્ર ચિકિત્સાનાં જ નહિ, આરોગ્યનાં પણ સારાં માધ્યમો છે. સ્વાથ્ય અને ધ્વનિ પ્રકંપન
આપણે વચનપ્રાણનું પણ સાચું મૂલ્યાંકન કરવું જોઈએ. વૈજ્ઞાનિક જગતમાં ધ્વનિ પ્રકંપનો ઉપર ઘણાં કાર્યો થયાં છે. પરાધ્વનિ દ્વારા અનેક કાર્યો સંપાદિત
| મહાવીરનું અહિંસા-દર્શન - 139.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org