________________
મત મુજબ પગથી કમર સુધીનો ભાગ પાર્થિવ છે. પેટની આસપાસનો ભાગ જલીય છે. નાભિની આસપાસનો ભાગ આગ્નેય છે. પેટની ઉપરનો ભાગ વાયવીય છે. આ તત્ત્વોને આધારે પીત, શ્વેત, રક્ત અને નીલા રંગના પ્રયોગો કરવામાં આવે છે. તે સૂર્યકિરણ ચિકિત્સાનું આધારસૂત્ર છે. આ તત્ત્વોના આધારે વિભિન્ન મુદ્રાઓનો વિકાસ કરવામાં આવ્યો. અંગુષ્ઠમાં અગ્નિ તત્ત્વ, તર્જનીમાં વાયુ તત્ત્વ, મધ્યમામાં આકાશ તત્ત્વ, અનામિકામાં પૃથ્વી તત્ત્વ તેમજ કનિષ્ઠામાં જલ તત્ત્વ સંનિહિત છે. આ તત્ત્વોનું સંચાલનસૂત્ર પ્રાણ છે. પ્રાણ, માટી, જળ, હવા અને તડકો વગેરે પ્રાકૃતિક જીવનના મૂળ આધારો છે. તેમનું અસંતુલન રોગ પેદા કરે છે. એ રોગને મટાડવા માટે તેમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તે પ્રાકૃતિક ચિકિત્સાનાં ઉપચાર-સાધનો બની જાય છે.
આરોગ્ય એટલે પ્રાણનું સંતુલન
શરીરમાં વિજાતીય દ્રવ્યો સંચિત થવાં એ રોગ છે. પ્રાકૃતિક ચિકિત્સાના ક્ષેત્રમાં રોગની આ જ વ્યાખ્યા સ્વીકૃત છે. વિજાતીય તત્ત્વો સંચિત થઈને પ્રાણશક્તિને અસંતુલિત કરી મૂકે છે. પ્રાણશક્તિનું અસંતુલન એ જ રોગછે. યોગના ક્ષેત્રમાં રોગની આ જ વ્યાખ્યા સ્વીકૃત છે. માટી વગેરે તત્ત્વો શરીરમાંથી વિજાતીય તત્ત્વોને બહાર કાઢી નાખે છે. પ્રાણશક્તિ સંતુલિત અને શરીર સ્વસ્થ થઈ જાય છે. આ રીતે પ્રાકૃતિક ચિકિત્સા અને યોગ ચિકિત્સા વચ્ચે ગાઢ સંબંધ છે.
આપણે પ્રાણી છીએ, પ્રાણ દ્વારા જ આપણું જીવન સંચાલિત છે. આપણી ઈન્દ્રિયો પ્રાણ દ્વારા પ્રાણિત થઈને જ પોતાના વિષયો જાણે છે. આપણી ભાષા, મન અને શરીર એ બધાં તેની જ સક્રિયતાથી સક્રિય થઈ રહ્યાં છે. પ્રાણ સ્વસ્થ તો સઘળું સ્વસ્થ. સ્વાસ્થનો અર્થ છે - પ્રાણનું સંતુલન. આરોગ્ય એટલે પ્રાણ-સંતુલન.
મૂળ શક્તિ છે આયુષ્માણ
આયુર્વેદમાં પાંચ પ્રાણ નિરૂપિત છે – ૧. પ્રાણ, ૨. અપાન, ૩. ઉદાન, ૪. સમાન, ૫. વ્યાન. જૈનધર્મમાં દસ પ્રાણોનું પ્રતિપાદન છે -
મહાવીરનું અહિંસા-દર્શન - 138 |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org