________________
પ્રાકૃતિક ચિત્સિા
અને રોગોપચાર
શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, ભાવનાત્મક આરોગ્ય અને સામાજિક આરોગ્ય વગેરે પરસ્પર સાથે અનુબંધ ધરાવે છે. તેમાં પ્રથમ સ્થાન ભાવનાત્મક આરોગ્યનું છે. ભાવ સ્વસ્થ હોય તો મન સ્વસ્થ હોય છે. મન સ્વસ્થ હોય તો શરીર સ્વસ્થ હોય છે. શરીર, મન અને ભાવ એ ત્રણેય સ્વસ્થ હોય તો સમાજ સ્વસ્થ હોય છે. ભાવનાનું આરોગ્ય આહારવિહાર અને પ્રાકૃતિક જીવન ઉપર ખૂબ નિર્ભર છે. આજે પ્રાકૃતિક ચિકિત્સા શબ્દ અત્યંત પ્રચલિત છે. કોઈ રોગીને ચિકિત્સા શબ્દ દ્વારા આશ્વાસન મળે છે તેથી
તેનું પ્રચલન અહેતુક પણ નથી. હકીકતમાં પ્રાકૃતિક ચિકિત્સાને બદલે પ્રાકૃતિક જીવન શબ્દ વિશેષ યોગ્ય છે.
પ્રાકૃતિક જીવનના મૂળ આધાર
બીમારીનું બહુ મોટું કારણ અપ્રાકૃતિક રીતે જીવવું એ છે. તેનો ઉપચાર છે – પ્રાકૃતિક રીતે જીવવું. માટી, પાણી, તડકો અને હવા વગેરે પ્રાકૃતિક તત્ત્વો છે. આપણું શરીર જે પુદ્ગલ-પરમાણુઓથી બનેલું છે તેમાં પાર્થિવ, જલીય, આગ્નેય, વાયવીય તત્ત્વોનો સમન્વય છે. તત્ત્વવિદ્યાના
ન મહાવીરનું અહિંસા-દર્શન - 137 E
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org