________________
છે. ધર્મનું મૂળ તત્ત્વ અલગ ન હોઈ શકે. તેમાં દેશ-કાળનો તફાવત પણ નથી હોતો. જો ત્યાગ અને તપસ્યાના પ્રયોગો જીવનમાં કરવામાં આવે તો સાંપ્રદાયિકતાની સમસ્યા પણ ઘટી શકે છે અને આરોગ્ય પણ સારું રહી શકે છે.
કેટલાક રોગ આગંતુક હોય છે. ઘા પડવો, હાડકું તૂટી જવું વગેરે. કેટલાક રોગ સંક્રામક હોય છે. કેટલાક રોગ કર્મજ હોય છે. આ તમામ રોગો આરોગ્યને નબળું પાડે છે. આ બહુમુખી અને બહુસંક્રમી યુગમાં કોઈ માણસ એકલો નથી રહેતો, પ્રભાવિત થયા વગર પણ નથી રહેતો. આવી સ્થિતિમાં આરોગ્યના મૂળ તત્ત્વની શોધ આવશ્યક બને છે, તે છે પ્રાણ. ધર્મની આરાધનાનો ઉદ્દેશ
શરીરની વધુ પડતી ચંચળતા. વાણીની વધુ પડતી ચંચળતા. મનની વધુ પડતી ચંચળતા. શ્વાસની તીવ્ર ગતિ. આહારનો અસંયમ. ભોગનો અસંયમ. નિષેધાત્મક ભાવ
આ બધાં પ્રાણને ક્ષણ કરે છે. આયુર્વિજ્ઞાનની ભાષામાં રોગ-નિરોધકક્ષમતા (રોગપ્રતિકારક શક્તિ) અને આત્મ-રક્ષા- પ્રણાલી (ઇમ્યુન સિસ્ટમ)ને ડહોળી નાખે છે. પરિણામે બીમારીઓના બીજને ઉછેર પામવાની તક મળે છે.
ધર્મની આરાધનાનો પ્રથમ ઉદેશછે- ભાવનાની વિશુદ્ધિ, મનની એકાગ્રતા અને આત્માની અનુભૂતિ. તેનું પરોક્ષ પરિણામ છે – પ્રાણને પ્રબળ બનાવવો. પ્રાણ પ્રબળ બને છે ત્યારે આરોગ્યનો પ્રવાહ આપોઆપ પ્રવાહિત થઈ ઊઠે છે.
ન મહાવીરનું અહિંસા-દર્શન • 136 -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org